________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
અહા ! એ સીમંધર ભગવાન!
અહા ! તે દિવ્ય ધ્વનિ !
અહા ! તે પુનિત પ્રસંગો ! ધન્ય તે ધડી ! ધન્ય તે પળ!
જીવ કોઈવાર કોઈ ગતિમાં, કોઈવાર કોઈ ગતિમાં હોય છે. આ જીવે કોઈવાર તિર્યંચગતિમાં દુઃખો સહ્યાં, કોઈ વાર માતાના ગર્ભોમાં બંદીખાનાનાં દુ:ખો સહ્યાં તે યાદ આવે છે. (ચારે ગતિનાં દુ:ખો આ જીવે દેવગતિમાંથી પણ કેટલાંક જોયાં છે.) ચારે ગતિમાં દુઃખો સહ્યાં છે.
આ જીવ કોઈવાર દેવલોકની રત્નમય ભૂમિમાં વિહરતો હતો; મનુષ્યભવમાં આ જીવ દેવાનંદભાઈ પણે વિદેહક્ષેત્રમાં ભગવાનના ધામમાં રહેતો હતો, ત્યાંના નગરનાં રત્ન જડિત શોભીતા ને વિશાળ જિનાલયોમાં તેમ જ રત્ન જેવા કિનારાથી શોભિત તળાવ વગેરે સ્થળોએ જતો હતો.
અત્યારે આ જીવ ભરતભૂમિમાં છે, ભારતરત્ન શ્રી કહાનગુરુદેવના સાન્નિધ્યમાં છે.
કોઈ વાર ક્યાં! કોઈ વાર ક્યાં!
કેવું સંસારનું પરિભ્રમણ !
કેવી સંસારની વિચિત્રતા !
ચૈતન્યદેવ સિવાય બહારમાં કયાંય સુખ નથી.
બધેથી વૈરાગ્ય પામી અદ્દભુતસ્વરૂપ શુદ્ધાત્મામાં સમાઈ જવું તે જ શ્રેયભૂત છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk