________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
દિવસ રોકાયા છે એમ સ્મરણ આવ્યું.
પોષ વદ ૭ ને લગભગ સાડા દશ, અગિયાર
શ્રી કુંદકુંદાચાર્ય ત્યાં કુંડલપુરમાં પધાર્યા હતા, આઠ દિવસ રહ્યા હતા એમ બરાબર સ્મરણ આવે છે.
આઠ દિવસ સુધી ત્યાં મોટા ઓચ્છવ જેવું થયું હતું. ત્યાંના ચક્રવર્તીએ તેમનો બહુ આદરસત્કાર કર્યો હતો ને મોટા ઓચ્છવ અથવા ઉજવણા જેવું ચક્રવર્તી તરફથી થયું હતું તે બરાબર યાદ આવે છે.
બધી જાતનો આઠે દિવસનો ઓચ્છવ ચક્રવર્તી તરફથી થયો હતો કે દેવો તરફથી થયો હતો તે યાદ આવતું નથી.
શ્રી કુંદકુંદાચાર્યને બહુ જ આદરસત્કારથી ચક્રવર્તી તરફથી, મોટા થાળ જેવું હતું તેમાં કાંઈક ફળો આદિ (બીજાં કાંઈક વનસ્પતિ જેવું) હતું, તે ફળાદિ કુંદકુંદાચાર્યને વહોરાવવામાં આવ્યાં હતાં.
ફળો આદિ વહોરાવ્યાં હતાં તે બરાબર યાદ આવે છે પણ ચક્રવર્તીએ વહોરાવ્યાં કે બીજા કોઈએ તે બરાબર યાદ આવતું નથી.
હું ત્યાં કુંડલપુરમાં હતો તે બરાબર યાદ આવે છે. પ્રભુનાં દર્શન માટે આવ્યો હોઉં અથવા બીજા કોઈ પ્રસંગે આવ્યો હોઉં, તે યાદ આવતું નથી.
*
*
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk