________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
આજે પોષ વદ આઠમ, સાડા દશથી અગિયારે આવેલું સ્મરણ
શ્રી કુંદકુંદાચાર્યના પગને, ફળાદિ વહોરાવ્યાં તે ટાઈમે, સુગંધી પાણી, પુષ્પ વગેરે ઊંચી ચીજો-કુંકુ જેવું કાંઈક હતું વગેરે ચીજો-થી પૂજવામાં આવ્યા હોય તેમ બરાબર સ્મરણ આવે છે. ફળાદિનો થાળ હતો તે રત્નજડિત જેવો હોય તેમ યાદ આવે છે.
આ બધું બરાબર સ્મરણ સહજ આવ્યું તેમ લખ્યું છે.
ભરતક્ષેત્રમાંથી મહાવિદેહક્ષેત્રમાં જઈને
શ્રી સીમંધર પ્રભુનાં દર્શન કરનાર ૫૨મ યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્યને ૫૨મ ભક્તિથી નમસ્કાર, વાંરવાર નમસ્કાર.
**
૫૨મ-પુરુષોને નમસ્કાર ૧૯૯૪, પોષ વદી તેરશ
૫૧
શ્રી કુંદકુંદાચાર્ય ત્યાં કુંડલપુરમાં પધાર્યા ત્યારે ઓચ્છવને લઈને ભક્તિનો પ્રકાર બહુ જ દેખાય છે.
કુંડલપુરમાં શ્રી કુંદકુંદાચાર્ય પધાર્યા ત્યારે ફતેહમંદકુમાર પણ ત્યાં આવેલ હતા, બહુમાનથી ઉલ્લાસ-પૂર્વક શ્રી કુંદકુંદાચાર્ય પ્રત્યે હાથ જોડતા ઊભેલા જોયા.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk