SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંક્ષિપ્ત જીવન પરિચય સં. ૧૯૯૪માં વૈશાખ વદ આઠમના દિને સ્વાધ્યાયમંદિરના ઉદ્દઘાટન સમયે અમે બંને ભાઈઓ માટે એક યાદગાર પ્રસંગ બન્યો. પૂજ્ય ગુરુદેવ તે દિવસે પ્રવચનમાં દઢતાથી બોલ્યા કે–“કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહમાં ગયા હતા ને સમવસરણમાં શ્રી સીમંધરભગવાનની વાણી સાંભળવા માટે ત્યાં આઠ દિવસ રહ્યા હતા.-આ બધી નજરે જોયેલી વાત છે; કોઈ માને કે ન માને પણ આ વાત સત્ય છે.”–આવી મતલબનું લગભગ બોલ્યા. વજીભાઈ ને હું વિચાર કરીએ કે-ગુરુદેવ આજે પ્રવચનમાં, ‘આ વાત આમ જ છે' વગેરે આટલું બધું જોરપૂર્વક શું બોલ્યા ? ભાઈ કહે: આપણે ગુરુદેવને પૂછવા જઈએ. અમે બહેનશ્રીને કહ્યું કે-ગુરુદેવ આજે પ્રવચનમાં આવું કાંઈક જે બોલ્યા તે વિષે અમારે તેમને પૂછવા જવું છે. બહેનશ્રી કહે: ‘ જાવ.' બહેનશ્રીને મનમાં એમ કે ભાઈઓ કંઈક જાણે તો તેમને લાભનું કારણ થાય; મારે તો કહેવું જ નથી, મહારાજસાહેબને કહેવું હશે તો કહેશે; તેથી કહેઃ ‘ભલે જાવ. ’ ૨૧ અમે પૂજ્ય ગુરુદેવ પાસે ગયા ને તેમને પૂછ્યું: ‘સાહેબ ! આજે પ્રવચનમાં આપે ‘આ નજરે જોયેલી વાત છે' વગેરે શું કહ્યું? પહેલાં તો ગુરુદેવે, ‘ એવું અંગત-વ્યક્તિગત કાંઈ પૂછવાનું ન હોય' એમ જરા જોરથી કહ્યું. સાંભળી અમે મૌન થઈ ગયા અને ગુરુદેવ સાથે સ્વાધ્યાયમંદિરની ઓસરીમાં આંટા મારવા લાગ્યા. પછી ગુરુદેવ પાટ ઉપર બેઠા, અમે તેમની પાસે નીચે બેસી ગયા. બેઠા પછી પૂજ્ય ગુરુદેવે થોડી ટૂંકી ટૂંકી વાતો કરી. ગુરુદેવ, ગંભીર થઈને, બોલ્યાઃ બહેનને (બહેનશ્રી ચંપાબેનને ) સં. ૧૯૯૩માં ચૈત્ર વદ આઠમના દિને, અનુભવમાંથી બહાર આવતાં, પૂર્વભવનું જાતિસ્મરણજ્ઞાન થયું છે. કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહમાં સીમંધરભગવાનના સમવસરણમાં પધાર્યા હતા. ત્યારે બહેન ને અમે ત્યાં હતાં. હું ત્યાં રાજકુમાર હતો. આમ બહેનને સ્મરણમાં આવ્યું છે. મને અંદરથી આવતું ‘હું રાજકુમાર છું, મખમલનાં જરીનાં વસ્ત્રો પહેર્યાં છે,-વગેરે.' પણ બહેને કહ્યું એટલે ઘણું સ્પષ્ટ થયું, પાકું થયું. બહેન શેઠના દિકરા હતા.-ઇત્યાદિ ટૂંકી ટૂંકી થોડી વાતો કરી. પણ સાથે એમ પણ કહ્યું કે–આ વાત કોઈને કહેવાની નથી...કોઈને નહિ.' વજીભાઈને તે વખતે બહેનશ્રી ઉ૫૨ એટલા બધા ભાવ આવી ગયા કે તેમણે હર્ષાશ્રુ સાથે ગદ્દગદ સ્વરે કહ્યું: ‘સાહેબ ! Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy