SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જાતિસ્મરણ જ્ઞાન હતું. પૂ. ગુરુદેવનો પ્રશ્ન આવતાં સ્પષ્ટપણે આવ્યું (આસો સુદ બીજને દિવસે પણ આ સ્મરણ સહજપણે આવ્યા કરતું હતું.) શ્રી કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમાં પધાર્યા હતા તે પ્રસંગ સ્મરણમાં આવે છે. તે ટાઈમે સીમંધર ભગવાનના દર્શન કરવા જવાનો પ્રસંગ બન્યો હતો. ત્યારે મારે એટલે દેવાભાઈના જાણવામાં હતું અને લોકમાં પણ તે વાત પ્રસરેલી હતી તે યાદ આવે છે કે આ રાજકુમાર અહીંથી ભરતક્ષેત્રમાં જન્મશે, ત્યાં આ આચાર્યદિવના એટલે કે કુંદકુંદાચાર્યદવના માર્ગે ચાલીને પંચમકાળમાં ધર્મતીર્થનો પ્રકાશ કરશે. ત્યાં તેમને બાળવયથી ધાર્મિક સંસ્કારો જાગવાથી ત્યાગીપણે રહીને આ રાજકુમાર આ આચાર્યદેવના-આ આચાર્યદેવના કહેલા-માર્ગે ચાલીને ભરતક્ષેત્રમાં પંચમ કાળમાં ધર્મતીર્થનો પ્રકાશ કરશે. આવા ભાવો ભગવાનની વાણીમાં આવ્યા હતા કે મુનિરાજના કહેલા હતા તે સ્પષ્ટ યાદ આવતું નથી. પરંતુ તેમાંના કોઈ દ્વારા આ વાત પ્રગટ થયેલી હતી, લોકસમુદાયમાં પ્રસરેલી હતી, અને હું એટલે દેવાભાઈ પણ આ વાતને જાણતા હતા. આ વાત સાવ સ્પષ્ટ છે. મહાવિદેહક્ષેત્રમાંથી ભારતમાં આવ્યા તે વાત યાદ કરતાં ખેદ થાય છે, તેથી ઉપયોગ તે વાત ઉપર વિશેષ જતો નથી. જે યાદ આવ્યું તે લખ્યું છે. ગયા ભવના રાજકુમાર, વર્તમાનના શ્રી કાનગુરુદેવનો આત્મા આ ભરતક્ષેત્રમાંથી દેવભવમાં જશે, ત્યાંથી જંબુદ્વીપમાં Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy