________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
અહો ! એ સીમંધરભગવાનનાં ચરણકમળોમાં પરમ ભક્તિથી નમસ્કાર, વારંવાર નમસ્કાર અપૂર્વ શ્રતધારા વરસાવનાર ભાવી તીર્થાધિનાથ
કહાનગુરુદેવના ચરણકમળોમાં પરમ ભક્તિથી નમસ્કાર.
* * ૨૦૩૪, ભાદરવા સુદ છઠ-સાતમ
અપૂર્વ ઉપકારી ગુરુદેવને નમસ્કાર. અનંત કાળમાં પરિભ્રમણ કરતાં ચાર ગતિમાં જીવે ઘણાં દુઃખો સહ્યાં છે. તિર્યંચગતિમાં સહેલાં ભૂખ-પ્યાસ વગેરે પરાધીનતાનાં અનેક પ્રકારનાં દુઃખો માતાના ગર્ભોમાં સંજ્ઞી પંચેન્દ્રિયપણે સહેલાં બંદીખાનામાં અનેક પ્રકારનાં દુઃખો તે યાદ આવે છે, અને વૈરાગ્ય આવે છે. ( વિશેષ વિસ્તાર જણાતો નથી.)
નરકના જીવોનાં દુઃખો અને નરકભૂમિ તો પ્રત્યક્ષની જેમ નજર સમક્ષ તરે છે. જીવ ચારે ગતિમાં દુઃખો સહુતો આવ્યો છે.
કોઈ વાર આ જીવ દેવલોકની રત્નમય ભૂમિમાં વિહાર કરતો હતો, મનુષ્યભવમાં વિદેહક્ષેત્રમાં મોટા શરીરપણે મોટાં મહેલ જેવાં મકાનોમાં ફરતો હતો, માતપિતાના લાડમાં રહેતો હતો, સમવસરણમાં ભગવાનની વાણી સાંભળતો હતો, વગેરે યાદ આવે છે.
કેટલીક વાર માતપિતાની સાથે મોટા રથ સરીખું વાહન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk