________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
મધ્ય લોકના દેવોનાં નગર, એમ નિઃશંકપણે પ્રત્યક્ષની જેમ જણાય છે. દેવભવમાંથી કેટલીક વાત યાદ આવે છે તેની સાથે આ બધાં સ્થાનો પણ પ્રત્યક્ષની જેમ નજરે પડે છે; અને જિનમંદિરો દેખી બહુ મહિમા આવે છે અને ઉપયોગની એકાગ્રતા થતાં ઉપયોગ વારંવાર ત્યાં જાય છે. આ બધી વાતનો વિશેષ વિસ્તાર યાદ આવતો નથી.
આ સર્વ, ગુરુદેવનો પરમ પ્રતાપ છે.
૨૦૧૮, અષાડ સુદ બીજી પાંચમે આવેલું
ભગવાનનું સમોસરણ વારંવાર યાદ આવે છે. મોટાં મોટાં રત્નનાં પાંદડાંની વનભૂમિ, મોટો શ્રીમંડપ (જેનાં રત્નોની પ્રભા ચારે બાજુ પડી રહી છે એવો મંડપ), મોટા ગગને અડતા માનસ્તંભો યાદ આવે છે. વિવિધ વસ્તુઓથી અનોખો શણગારેલો માનસ્તંભ દિવ્ય અને આશ્ચર્યકારી છે. તેનો વિસ્તાર વિશેષ યાદ આવતો નથી. (અનેક પ્રકારની દેવતાઈ વસ્તુઓના પ્રદર્શનથી ભરપુર સમોસરણ હતું. વિશેષ વિસ્તાર યાદ આવતો નથી.)
ભગવાનની વાણી જાણે સમુદ્ર ઊછળતો હોય તેવી પરમ અદ્દભુત લાગે છે. ભગવાનની વાણીમાં ભેદજ્ઞાનની વાત વારંવાર આવતી હતી તેમ યાદ આવે છે. જે સાંભળીને બીજા જીવો ભવપાર થઈ જાય એવી, પરમ રહસ્યથી ભરેલી ભગવાનની વાણી છે. વિશેષ સંધિપૂર્વક ભગવાનની વાણી યાદ આવતી નથી. ભગવાનની વાણી અનંત પડખાંઓથી ભરપૂર હોય છે; પરંતુ આ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk