________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
સહિત આ આત્માને એટલે કે દેવાભાઈને જવાનું બન્યું હતું. ત્યાં તે નગરમાં પણ ધાર્મિક ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. ત્યાં દુધ વગેરે બીજી વસ્તુઓનું કોઈ મુનિરાજના હાથમાં આહારદાન દીધેલ હતું તે અવસર યાદ આવે છે.
પૂર્વે દેવાભાઈના ઘેર સારી જાતનાં અને શુદ્ધ ભોજન થતાં હતાં; અમારે ઘેર મુનિરાજ અને ત્યાગીઓ પધારતા હતા. ત્યાં રસોઈઘરની તદ્દન બાજુમાં કોઈ સફેદ ફળ વગેરે બીજી વસ્તુઓ સહિત મુનિરાજના હાથમાં આહારદાન દેવામાં આવેલ હતું તે પ્રસંગ પણ યાદ આવે છે. આનંદકારી પ્રસંગ હોવાથી જે યાદ આવ્યું તે લખાઈ જાય છે.
મહાવિદેહક્ષેત્રમાં કોઈ નગરોમાં તેમ જ ભગવાનના સમોસરણમાં આત્માની સાધના સાધના૨ દિગંબર મુનિરાજના અને ત્યાગીઓના સમૂહ (ટોળાં) નજરે પડે છે, યાદ આવે છે. ધન્ય તે ક્ષેત્ર ! ધન્ય તે કાળ!
તે ક્ષેત્રમાં રાજા, રાજકુમાર, નગરજનો અને લોકસમૂહને મુનિરાજનાં દર્શન અને આહારદાનના પ્રસંગો સુલભપણે બની જાય એવો ત્યાં ધર્મકાળ હતો.
નૌવલપુર નગ૨માં પણ મુનિરાજો અને ત્યાગીઓ
પધારતા હતા.
ધર્મક્ષેત્રમાંથી જીવના પરિણામને કારણે આ કાળમાં ભરતક્ષેત્રમાં આવવાનું થયું તે ખેદ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk