________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૯
જાતિસ્મરણ જ્ઞાન પરમ ઉપકારી અપૂર્વ મહિમાવંત ગુરુદેવના
ચરણોમાં વારંવાર નમસ્કાર
૨૦૧૪, કારતક વદ સાતમપૂર્વભવે આ જીવે દેવાભાઈના ભવમાં સીમંધર ભગવાનની વાણી સાંભળેલી, તેમાંથી જે શક્તિ પ્રમાણે ગ્રહણ થયેલું, તેમાંથી થોડું થોડું યાદ આવે છે. ભગવાન કરોડાકરોડ સાગરનું માપ બતાવતા હતા. શું માપ તે યાદ આવતું નથી. આ જીવ આવા પરિણામ કરે તો આવા સાગરનો બંધ થાય છે. તે સાગર કોને કહેવાય તે ભગવાન બતાવતા હતા.
ભગવાનની વાણી પ્રશમરસઝરતી એવી લાગતી કે જાણે પ્રશમરસનો સમુદ્ર ઝરતો હોય, સાંભળવામાં એવી મીઠાશ આવે કે જે વર્ણવી ન શકાય.
ભગવાનની પ્રશમરસઝરતી વાણી એવી રહસ્યભરી મીઠી કે સાંભળીને જડચૈતન્યના ભેદ પડી જાય.
એવી આશ્ચર્યભરી રહસ્યભરી વાણી સાંભળીને એમ થતું હતું કે ભગવાનથી કાંઈ છાનું નથી, ભગવાનની વાણીમાં બધુંય આવે છે, ચૌદ બહ્માંડનું આખુંય સ્વરૂપ ભગવાનની વાણીમાં આવે છે. એવી વાણી સાંભળીને ચિત્ત તો એકદમ ઠરી જાય ! અત્યારે સ્મરણ આવતાં પણ ચિત્તમાં એકદમ શાંતિ થઈ જાય છે અને બહુ આનંદ આવે છે.
ભગવાનની વાણીમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવનું સ્વરૂપ, સ્વદ્રવ્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk