________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૭૧
હતું દેવલોકના બાગબગીચા, મહેલો સર્વ રત્નમય હતું. બાગબગીચા બધું રત્નોનું હોવા છતાં ફરતાં હતાં. દરેક મહેલોમાં જુદા જુદા રંગનાં અને જુદી ાદી જાતનાં રત્નો હતાં; દેવલોકમાં ફરવાનાં સ્થાન જુદાં રત્નમય હતાં; બેસવાનાં સ્થાન, આસનો બધાં જાદાં હતાં; જ્યાં દેવો નાટક દેખાડે તે સ્થાન દાં; દેવોને પહેરવાનાં, અનેક પ્રકારનાં રત્નોનાં વસ્ત્રાભરણના પટારા મહેલોમાં હતા.
શોભીતાં જિનાલયો હતાં; કમાન વાળેલા, સ્ફટિક જેવા સફેદ રત્નનાં મોટાં ઊંચાં દ્વારો જિનાલયોમાં હતાં. દેવલોકમાં જિનાલયમાં પૂજા વગેરે દેવો કરતા હતા, શાશ્વતાં પુસ્તકો રત્નમય હતાં; પૂઠાં રત્નનાં, અક્ષરો રત્નના હતા. દેવલોકની સર્વ ચીજ રત્નમય હતી. વ્યવહારે તે સ્વર્ગપુરી આશ્ચર્યકારી છે.
શોભીતાં જિનાલયો, તેમાં સમવસરણ હતાં; નદી, તળાવ, મોટાં મોટાં ચળકતાં રત્નના ગઢો, ભગવાનનું સિંહાસન, જિનાલયનાં શિખરો મોટાં મોટાં, અનેક કારીગરીથી ભરેલાં, રત્નોનાં, વર્ણવી ન શકાય એવાં હતાં- જાદુભરી સમવસરણરચના હતી. જે રચના હતી તેમાંથી બધું યાદ આવતું નથી, થોડું ઉ૫૨ પ્રમાણે યાદ આવે છે; તેની સાથે સ્પષ્ટતાને કારણે નિઃશંકતા બહુ આવે છે.
આ રહી રત્નમય દીવાલ, આ રહ્યાં રત્નમય જિનાલયો, આ રહ્યાં જુદાં જાદાં મહેલનાં સ્થાનો, આ રહ્યાં ફરવાનાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk