________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
છે. ભાવસ્મરણ એટલે નિજ શુદ્ધ આત્માનું, અને દ્રવ્યસ્મરણ એટલે આ જીવ પોતે પૂર્વે કયાં હતો તે, તે બંનેનું જ્ઞાન છે. એ તો ભગવતીસ્વરૂપ છે, ભગવતી બેન છે.
૧૨૨
**
શ્રી કુંદકુંદ-આચાર્યદેવ વિદેહમાં ગયા હતા તેના કોણ સાક્ષી છે? સાક્ષી આ ચંપાબેન બેઠાં છે તે છે.
**
બેનની ગંભીરતા તો જુઓ! બેનના બોલ (વચનામૃત ) બહુ ગંભીર છે. બેનને તો કયાં બહાર પડવું છે? માંડ બેનનું પુસ્તક બહાર આવ્યું. બેનનું પુસ્તક તો બહુ સરસ ! બહુ સરસ ! અધ્યાત્મની રુચિ હોય તેને માટે તો બહુ સરસ. આવું કયારે બહાર આવે! બેનને તો વિચાર નહોતો ને બહાર આવી ગયું. જગતનાં ભાગ્ય છે!
**
(તા. ૨૬-૮-૭૨ ) બેનનો આત્મા તો મંગળમય છે, ધર્મરતન છે. હિંદુસ્તાનમાં બેન જેવાં અજોડ સ્ત્રીઓમાં કોઈ છે નહિ, અજોડ રત્ન છે. બાઈઓનાં તો મહાભાગ્ય છે કે આવું રત્ન મળ્યું છે.
**
(તા. ૧૭–૩–૭૩) આ બેનની તો લાઈન જ જુદી છે. એમનો વૈરાગ્ય, જાતિસ્મરણજ્ઞાન, એમની દશા-બધું જુદું જ છે. એમને કયાં કોઈની પડી છે! કોઈ વંદન કરે કે ન કરે, એ કયાં કોઈને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk