________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
વાહન હતું (તે નામ આવડતું નથી), હાથી, ઘોડા વગેરે સાથે હતું; ગામના ઘણા માણસો સાથે હતા; પરમ શેઠ, લાભભાઈ (શાન્તાબેનનો આત્મા) વગેરે, જીવન શેઠ, હું વગેરે ઘણા માણસો સાથે હતા ચંદ ભાઈ અને શિશુ પણ હતા.
ત્યાંના હિસાબે નૌવલપુરથી કુંડલપુર બહુ દૂર નહોતું, પણ નજીક હતું.
કેટલાક માણસો ચાલતા હતા, કેટલાક વાહનોમાં બેઠા હતા. રાજકુમાર થોડી વાર ચાલતા હતા, થોડી વાર કોઈ વાહન ઉપર બેસતા હોય તેમ જણાય છે.
રસ્તામાં રાજકુમાર સાથે પુણ્ય-પાપ વિષે વાત થઈ હતી. શું વાત થઈ હતી તે યાદ આવતું નથી. કુંડલપુરમાં ગયા ત્યારે સમવસરણનાં પગથિયાં હું તથા લાભભાઈ સાથે ચડતા હતા; રાજકુમાર, એમનું કટુંબ વગરે આગળ ચડતા હતા.
સમવસરણમાં (અજ) બાહુ જોવામાં આવ્યા હતા, પણ તે નવલપુરથી આવ્યા હતા કે બીજા કોઈ ગામથી–તે યાદ આવતું નથી.
(આ ઉપરનું સ્મરણ ચૈત્ર સુદ આઠમને દિવસે સામાન્યપણે આવ્યું હતું, પાછું ચૈત્ર વદ ચોથને સાંજ સ્પષ્ટ આવ્યું )
ત્યાં નૌવલપુરમાં આર્યભાષા હતી તેમ સહજ સ્મરણ આવે છે. લખાણમાં કેટલાક ત્યાંના ભાવો અને ભાષા અહીંની લખી છે ને કેટલીક ત્યાંની ભાષા પણ છે; જેમ કે દેશપ્રત્યક્ષ,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk