________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
नमः श्रीपंचपरमेष्ठिभ्यः । नमः श्रीसद्गुरुदेवाय।
પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનો
જે
સંક્ષિપ્ત જીવનપરિચય
(જન્મધામ વઢવાણમાં આદરણીય પં. શ્રી હિંમતલાલભાઈએ આપેલો )
પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનો જન્મ વઢવાણ શહેરમાં, વિ. સં. ૧૯૭૦, શ્રાવણ વદ બીજ શુક્રવારના દિવસે, મહાલક્ષ્મીના મંદિર પાસે પીપળાવાળા ઘરે, થયો હતો.
પૂજ્ય બહેનશ્રીની ઉંમર સાડા ત્રણ વર્ષની હતી ત્યારે અમારાં માતુશ્રીનો સ્વર્ગવાસ થયો. મારી ઉંમર તે વખતે સાડા નવ વર્ષની. માતુશ્રીનો સ્વર્ગવાસ થવાથી પૂજ્ય બહેનશ્રી ચંપાબેન કરાંચીમાં મોટાં બેનને (સમરતબેનને ) ત્યાં રહ્યાં. પૂજ્ય બાપા, મોટાભાઈ શ્રી વજુભાઈ અને હુંઅમે ત્રણ વઢવાણ રહ્યા. પૂજ્ય બહેનશ્રી ચંપાબેન લગભગ દસ-અગિયાર વર્ષ કરાંચીમાં રહ્યાં. શાળાનો અભ્યાસ પણ તેમણે ત્યાં જ કર્યો. બુદ્ધિશાળી હોવાથી શાળાના અભ્યાસમાં તેઓ પ્રાયઃ પ્રથમ નંબર રાખતાં.
તેઓ પ્રથમથી જ પ્રકૃતિએ સૌમ્ય, નરમ, સૌજન્યપૂર્ણ, શરમાળ, વૈરાગી અને મિતભાષી તેમ જ મિષ્ટભાષી હતાં. બોલે બહુ થોડું. બોલાવે ત્યારે બહુ જ થોડું માંડ બોલે. મોટાં બેન પાડોશીને ત્યાં કોઈ વસ્તુ લેવા મોકલે કે ‘ચંપા! ચપ્પુ લઇ આવ', તો તે તેમને ત્યાં જઇને ધી૨ી મધુર વાણીથી કહે: ‘ચપ્પુ આપો ને!” પાડોશીને એ સાંભળવું એવું મીઠું લાગે કે ફરીને બોલાવવા માટે તે પૂછેઃ ‘ચંપા! શું લેવા આવી છું? સમજાણું નહિ.' ‘ચપ્પુ આપો ને !' એમ કહે ત્યારે તે ફરીથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk