________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંક્ષિપ્ત જીવન પરિચય
બંધ છે અને તેનું કારણ કાય છે. આનો અર્થ એ થયો કે બંધ થવામાં કાયાદિની ચપળતા મહત્ત્વની નથી પણ કષાયપરિણામ મહત્ત્વના છે. આ વાત ખૂબ ન્યાયસંગત હોવાથી મને બહુ પ્રિય હતી; બહેનશ્રીને પણ તે ગમતી. આ રીતે તે પુસ્તક વિષેની ઘણી ઘણી વાતો અમે બંને ભાઈ-બહેન સાથે બેસીને વાંચતાં અને ચર્ચતાં. બહેનશ્રીને પણ તે વાતોમાં ખૂબ રસ પડતો. બીજાં પણ કોઇ કોઇ પુસ્તક અમે સાથે વાંચતાં ને વિચારતાં. તેમાંથી બહેનશ્રીને, પૂજ્ય ગુરુદેવ પાસે જે સાંભળેલું તેની સારી પકડ આવેલી.
૧૧
હું તો અનિર્ણય–દશામાં રહેતો, વિચારોમાં જ અટકી જતો; વિચારથી સામાન્યપણે બેસે, પરંતુ ‘આમ જ છે' એમ નક્કી ન થાય. બહેનશ્રીને તો તે અંતરમાં નક્કી જ થઇ જતું. તેઓ તરત જ નિર્ણય કરે અને કહે કે–‘મને તો આ જ વાત સાચી લાગે છે.' એક વાર તેમની સાથે કોઇ ચર્ચા થતી હતી ત્યારે મેં કહ્યું: ‘ક્રોધ આત્માનો સ્વભાવ નથી' એ કઇ રીતે નક્કી થાય? તેમણે તરત જ કહ્યું: ક્રોધ જો આત્માનો સ્વભાવ હોય તો તેનાથી જ્ઞાનને પુષ્ટિ મળવી જોઇએ; સ્વભાવ એકબીજાને હણે નહિ. પરંતુ ક્રોધ કરીએ ત્યારે જ્ઞાન કુંઠિત થાય છે; માટે તે, આત્માનો સ્વભાવ નથી. ક્ષમા જ્ઞાનને રોકતી નથી, માટે ક્ષમા જીવનો સ્વભાવ છે.
ત્યાર પછી-કઇ સાલમાં તે ખબર નથી, કદાચ મોડે હશે-તેમણે પરમાગમના એક અતિ-મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતમાં પોતાનો દૃઢ પ્રતીતિભાવ ભારપૂર્વક જાહેર કરેલો. મેં પૂછ્યું: જીવ જ્યારે અશુદ્ધિ કરે ત્યારે પણ તેને સામર્થ્ય-અપેક્ષાએ શુદ્ધિ રહે છે એ શાસ્ત્રસંમત હકીકત છે. જીવ રાગદ્વેષ કરે અને તે જ વખતે એક અપેક્ષાએ-સ્વભાવ –અપેક્ષાએ શુદ્ધ! એ કઇ રીતે હશે ? તેમણે દૃષ્ટાંત આપીને કહ્યું કે-સાકરનો ગાંગડો કાળીજીરીના ભૂકામાં મૂક્યો હોય તો શું સાકરનું ગળપણ જતું રહે છે? ઉ૫૨-ઉ૫૨ કડવાશ આવે પણ અંદર તો મીઠાશ છે. મેં કહ્યું: તે દષ્ટાંત બેસતું નથી; કારણ કે આત્મા તો એક અખંડ પદાર્થ છે અને સાકર તો અનંત પરમાણુઓનો પિંડ છે. વચ્ચેના ૫૨માણુઓને કાળીજીરી અડી પણ નથી, એટલે તે તો ગળી રહે, કડવી ક્યાંથી થાય? પણ આત્મા તો એક અખંડ પદાર્થ છે, તેમાં એક જ સમયે શુદ્ધ ને અશુદ્ધ-એ બે એકસાથે એક જ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk