________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૬૭
– આ બધી વાત સાવ સ્પષ્ટપણે, પ્રત્યક્ષતાની માફક, યાદ આવે છે અને નિઃશંકતા બહુ આવે છે.
આ સ્મરણ આસો વદ એકમને દિવસે થોડું થોડું આવ્યું, ત્યાર પછી વધતાં વધતાં દિવાળીને દિવસે સ્પષ્ટતાપૂર્વક થયું.
(આસો વદ અમાસ, ૨૦૧૩) આ દિવસે આ સ્મરણ સ્પષ્ટપણે થયું.
આ ભવ પછી, ફતેહમંદ રાજકુમારનો (એટલે કે કહાન ગુરુદેવનો), આ (દિવ્ય ) મનુષ્યપણાના ભવ પછીનો બીજો ભવ પણ, મનુષ્યપણાનો થયો ત્યાં પણ તેઓ પુણ્યશાળી હતા, સર્વ કાર્યોમાં જીત મેળવે એવી અજબ તેમની શક્તિ હતી. કયાં કાર્યોમાં જીત મેળવી હતી તે સ્પષ્ટ યાદ આવતું નથી, પરંતુ જીત મેળવતા હતા તે વાત યાદ આવે છે; આ બધી વાત સ્પષ્ટપણે યાદ આવે છે.
તે ભવમાં તેમને કેટલોક ગૃહપરિવાર વગેરે હતું. એક વાર તેઓ કેવળી ભગવાનનો ઉપદેશ સાંભળવા ગયા હતા અને ઉપદેશ સાંભળ્યા પછી તેઓએ મુનિરાજનાં દર્શન કર્યા અને ભાવ આવતાં તેઓએ મુનિને પોતાના ભવોની વાત પૂછી. મુનિએ ભવોની વાત કરી. મુનિરાજે પૂર્વભવોની અને આવતા ભવોની શું વાત કરી તે યાદ આવતું નથી, પરંતુ મુનિરાજે કહ્યું કે તમે ભવાંતરે તીર્થકર થવાના છો, તે વાત બરાબર યાદ આવે છે. (તીર્થકર ભગવાનનું દ્રવ્ય અભુત હોવાથી મુનિરાજની વાણીમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk