________________
દ્રવ્યવિચાર પાંચ, સાત એવા વિષમ પ્રમાણુની સ્નિગ્ધતા કે રૂક્ષતાવાળા અણુઓ ચીકણુઈ કે લૂખાઈમાં સમાન કરતાં બે અંશ વધારે હોય, તે એકબીજા સાથે જોડાય છે; પરંતુ એક અંશ જેટલી ચીકણાઈ કે લૂખાઈવાળા બીજા સાથે જોડાતા નથી. દાખલા તરીકે, બે અંશ ચીકણાઈવાળે બીજા ચાર અંશ ચીકણુઈવાળા સાથે જોડાઈ શકે છે; અથવા ત્રણ અંશ લૂખાઈવાળે પાંચ અંશ લૂખાઈવાળા સાથે જોડાઈ શકે છે. એમ બે વગેરે પ્રદેશવાળા પુલસ્કો પિતપતાનાં (સ્નિગ્ધ, રૂક્ષ) પરિણામોથી સૂક્ષ્મ કે ભૂલ તથા જુદી જુદી આકૃતિવાળાં પૃથ્વી, જલ, તેજ કે વાયુરૂપ થાય છે. [પ્ર.૨,૭૧-૫]
પરમાણુ કાળ પરિમાણ જણાવે છે (કારણકે, પરમાણુ આકાશના એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય, ત્યારે એક સમય થયો કહેવાય છે). પરમાણુ દ્રવ્યાદિની સંખ્યાની ગણનાને પણ હેતુ છે (સ્કંધે પરમાણુના બનેલા હોવાથી, જેટલા પરમાણુ હોય તે ઉપરથી દ્રવ્યસંખ્યા જણાય છે). પરમાણુ આકાશને એક પ્રદેશમાં જ રહેતો હોવાથી ક્ષેત્ર સંખ્યા પણ તેના ઉપરથી જણાય છે; તેમજ પિતામાં રહેલ વર્ણાદિ ઉપરથી (પદાર્થોની ઓછાવત્તા વર્ણાદિવાળા હોવારૂપી) ભાવસંખ્યા પણ તે જ જણાવે છે. [૫.૮૦]
પરમાણુ સ્કંધભાવે પરિણત છતાં સ્કંધથી જુદો છે. ઈદ્રિયભાગ્ય પદાર્થો, ઈકિયે, પાંચે શરીરે, મન, કર્મો તેમજ બીજું જે કાંઈ મૂર્ત છે, તે બધું પુદ્ગલ છે. [૫.૮૨]
૧. જુઓ આગળ પાન ૫૮, ન. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org