Book Title: Tran Ratno
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 153
________________ ત્રણ રત્નો आहारे व विहारे देसं कालं समं खमं उवधिं । जाणित्ता ते समणो वट्टदि जदि अप्पलेवी सो ॥ આહાર કે વિહારની બાબતમાં શ્રમણ જે દેશ, કાળ, શ્રમ, શક્તિ અને (બાળવૃદ્ધત્વાદિ) અવસ્થાને જઈ–વિચારીને આચરણ કરે, તે તેને ઓછામાં ઓછું બંધન થાય છે. [૩,૩૧]. શાસ્ત્રજ્ઞાન : एयग्गगदो समणो एयग्गं णिच्छिदस्स अत्थेसु । णिच्छित्ती आगमदो आगमचेट्टा तदो जेट्टा ॥ મુમુક્ષુનું સાચું લક્ષણ એકાગ્રતા છે. પરંતુ, જેને પદાર્થોને સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો હોય, તે જ એકાગ્રતા પ્રાપ્ત કરી શકે. પદાર્થોના સ્વરૂપનો નિશ્ચય શાસ્ત્ર દ્વારા જ થઈ શકે; માટે શાસ્ત્રજ્ઞાન મેળવવાનો પ્રયત્ન સૌ પ્રયત્નોમાં ઉત્તમ છે. [૩,૩૨] आगमहीणो समणो णेवप्पाणं परं वियाणादि । अविजाणतो अत्थे खवेदि कम्माणि किध भिक्खू ।। શાસ્ત્રજ્ઞાન વિનાને મુમુક્ષુ ન પિતાનું કે પરનું સ્વરૂપ સમજી શકે; અને જેને પદાર્થોના સ્વરૂપની સમજ નથી, તે કર્મોનો ક્ષય કેવી રીતે કરી શકે? [૩,૩૩] आगमचक्खू साहू इंदियचक्खूणि सव्वभूदाणि । देवा य ओहिचक्खू सिद्धा पुण सव्वदो रक्खू ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162