________________
મોક્ષ કઈ પુરુષ બહુ લાંબા વખતથી કેદમાં પુરાયે હોય, અને પિતાના બંધનનો તીવ્ર કે મંદ સ્વભાવ, તેમજ તેનો કાળ બરાબર જાણતો હોય; પરંતુ જ્યાં સુધી તે પોતાના બંધનને વશ રહી, તેનો છેદ ન કરે, ત્યાં સુધી તે લાંબા વખતે પણ છૂટ ન થઈ શકે. તે જ પ્રમાણે કઈ માણસ પોતાના કર્મબંધનનો પ્રદેશ, સ્થિતિ, પ્રકૃતિ તેમજ પ્રભાવ (અનુભાગ) જાણતો હોય, તોપણ તેટલા માત્રથી તે તેમાંથી છૂટી ન શકે. પરંતુ તે જ માણસ જે રાગાદિ દૂર કરી શુદ્ધ થાય, તે તેમાંથી છૂટી શકે છે. માત્ર બંધનો વિચાર કરવાથી તેમાંથી છુટાય નહિ; તેને માટે તે બંધનો તેમજ આત્માને સ્વભાવ જાણી, બંધથી વિરક્ત થવું જોઈએ; ત્યારે કર્મમાંથી છુટાય. [સ.૨૮૮-૯૩]
૧. તેમના અર્થ માટે જુઓ પા. ૭૭, નં. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org