Book Title: Tran Ratno
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 133
________________ ૧૨૪ • ત્રણ રને જે શુદ્ધિ કે સાધના છે, તે વિષકુંભ જ છે, જ્યાં સુધી તે બધામાં કર્તુત્વબુદ્ધિ છે, ત્યાં સુધી શુદ્ધાત્માની પ્રાપ્તિ નથી જ. શુદ્ધ આત્મા તે બધાથી રહિત – પર – છે. તેમાં સ્થિત થવું એ જ સાચી આરાધના છે. પેલી બધી કહેવાતી શુદ્ધિ કે સાધના વિનાની શુદ્ધાત્માસ્વરૂપમાં સ્થિતિ, તે જ અમૃતકુંભ છે. [સ૩૦૧-૭] ૧. વ્યવહારસૂત્રમાં કહેલું છે કે, “પ્રતિક્રમણ (કરેલા દોષનું નિરાકરણ); પ્રતિસરણ (સમ્યક્ત્વાદિ ગુણમાં પ્રેરણ); પ્રતિહરણ (મિથ્યાત્વ-રાદિ-દોષોનું નિવારણ); ધારણા (ચિત્તસ્થિરીકરણ); નિવૃત્તિ (વિષયકક્ષામાંથી ચિત્તનું નિવર્તન); નિંદા (પોતાની શાખે દોષપ્રકટન); ગહ (ગુરુની શાખે દેષ પ્રકટન ); અને શુદ્ધિ (પ્રાયશ્ચિત્તાદિ વડે વિશુદ્ધિકરણ) -– એ બધાં અમૃતકુંભ છે; અને તેથી ઊલટી દશા એ વિષકુંભ છે. પરંતુ, અહીં તે પારમાર્થિક દષ્ટિને અવલંબીને પ્રતિક્રમણદિને જ વિષકુંભ કહ્યાં છે. કારણકે, જ્યાં સુધી એ બધું કરવાપણું કે, તે કરવાની કર્તાપણાની બુદ્ધિ છે, ત્યાં સુધી શુદ્ધાત્મસ્વરૂપની અપ્રાપ્તિ જ છે. અને જ્યાં શુદ્ધ આત્મસ્વરૂપ નથી, ત્યાં તે સ્થિતિને અમૃતકુંભ શી રીતે કહેવાય ? અલબત્ત, તે ઉપરથી એમ નથી કહેવાનું કે, એ પ્રતિકમણદિની જરૂર નથી. તે બધાંની જરૂર તો છે જ; પરંતુ તેમાં જ કૃતાર્થતા નથી – એ બાબત ઉપર ભાર દેવા જ મૂળમાં આ રીતે કથન કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162