________________
૫
માર્ગ
૧
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ,
સવર, નિર્જરા, અધ અને મેાક્ષ – એ નવ પદાર્થોનું જ્ઞાન મુમુક્ષુને આવશ્યક છે. જ્ઞાનીઓએ તે નવ પદાર્થોનું સ્વરૂપ જે રીતે કહી બતાવ્યું છે, તેના ઉપર શ્રદ્ઘા અથવા રુચિ — એનું નામ સમ્યક્ત્વ અથવા સમ્યગ્દર્શન. તે નવ પદાર્થોની યથાર્થ સમજ તેનું નામ જ્ઞાન; અને તેને કારણે વિષયેામાં લંપટતાથી રહિત અની, સમભાવયુક્ત વર્તન —— તેનું નામ ચારિત્ર, શ્રદ્દા અને જ્ઞાનયુક્ત એવું રાગદ્વેષ વિનાનું ચારિત્ર, એ જ મેાક્ષના માગ છે. જેએ મેાક્ષના અધિકારી છે, એવા વિવેકબુદ્ધિવાળા પુરુષા તે માર્ગ પામે છે. [૫.૧૦૬-૮]
જ્ઞાન, દર્શન, ચારિત્ર
Jain Education International
For Private & Personal Use Only
―
www.jainelibrary.org