________________
જઈ પોતાનું હિત બગાડે છે, તેની ગ્લાનિ થાય છે.
ભારતના જૈન, બૌદ્ધગ્રંથ વૈદિક તથા બીજા છૂટક સાહિત્યમાં વર્ણવાયેલ વિજ્ઞાનનો જ બરાબર ખ્યાલ કરી લે, તેને પછી આધુનિક વિજ્ઞાન તરફ જરા પણ આશ્ચર્ય રહેતું જ નથી. બાકી તો કારીગરોની કરામતો અનેક હોય, તે કાંઈ વૈજ્ઞાનિક સિદ્ધાંતો ગણાતા નથી. એલ્યુમિનિયમનો, કોલસાનો, વીજળીનો હજાર હજાર રીતે ઉપયોગ, એ તો કારીગરની કરામત છે. ધન, સંપત્તિ, અનુકૂળ સાધનોથી કારીગરો જેવી ધારે તેવી કરામતો બતાવી શકે છે. એમાં વૈજ્ઞાનિક આવિષ્કાર શો? છાપાંમાં રોજ નવા નવા અખતરા, પ્રયોગો, ચમત્કારિક વર્ણનો વાંચવા છતાં અમારા દિલ ઉપર તેથી લેશ માત્ર પણ આશ્ચર્ય થતું નથી. પરંતુ એ જ વાતોને જ્યારે જ્ઞાનીઓનાં વચનોમાં ભવ્ય સ્વરૂપે જોઈએ છીએ, ત્યારે જરૂર આશ્ચર્ય થાય છે અને એવા મહાજ્ઞાનીઓ તરફ પૂજ્ય ભાવ પણ જરૂર થાય છે. કેટલાક લોકો જૈન ભૌગોલિક પદાર્થો, પ્રાણીઓનાં આયુષ્યો અને ઊંચાઈઓ ઉપરથી જૈન તત્ત્વજ્ઞાનનો ઉપહાસ કરે છે. પરંતુ તે ઉપહાસ કરનારા સમજુ લોકોની દૃષ્ટિમાં સવિશેષ ઉપસનીય છે, યા તો દયાપાત્ર છે.
કેમ કે–વિશ્વરચના કેવા પ્રકારની છે? પ્રાણીજ સૃષ્ટિ ક્યારની છે ? વિશ્વરચનાના એક ભાગરૂપ ભૂરચના કેવા પ્રકારની ભૂતકાળમાં હતી? હાલ કેવી છે? હાથી કરતાં દોઢા બમણા ગેંડાની જાતનાં પ્રાણીઓનાં હાડકાંની શોધ ઉપરથી મોટામાં મોટું પ્રાણી કેવડું હોઈ શકે? દક્ષિણ અમેરિકાથી માંડીને
૧૬