________________
મધ્ય હિંદ સુધીના અર્ધચન્દ્રાકારના સમુદ્રમાં દબાઈ ગયેલા દેશની શોધ વગેરે ઉપરથી જ નથી. જ્યાં સુધી તે કોઈ પણ ચોક્કસ ધોરણ ઉપર જ નથી. જયાં સુધી તે કોઈ પણ ચોક્કસ ધોરણ ઉપર ન આવી શકે, ત્યાં સુધી શાસ્ત્રીય પદ્ધતિસર વર્ણવાયેલાં જૈન શાસ્ત્રના વિધાનો કયા આધારથી કયા માપથી ખોટાં ઠરાવવાં? વિજ્ઞાન વિશે પ્રસિદ્ધ થતા જુદા જુદા લેખો વાંચતાં તો કેટલીક એટલી બધી વિચિત્ર વાતો આવે છે કે શાસ્ત્રની વાતો માનવાને કાંઈ પણ આનાકાની કરવાની રહેતી જ નથી. એક તારાનું અમુક વર્ષે તેજ અહીં આવે છે, એક તારો અમુક કરોડ વર્ષે અમુક પ્રમાણમાં આપઘાત કરતો જાય છે. એક પરમાણુ એક રજકણનો અમુક કરોડનો ભાગ છે વગેરે.
સારાંશ કે ત્યાં પણ કરોડો, અબજો અને સંખ્યાતઅસંખ્યાત તથા અનંતથી વાતો કરવી પડે છે.
હાલના વૈજ્ઞાનિકો વિશે પણ ઉપરચોટિયું સમજનારાઓને અહીંનાં શાસ્ત્રમાનાં વિશાળતા પ્રતિપાદક ખરાં વર્ણનો વાંચીને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. પરંતુ જેને બન્નેયનો અને બન્નેયની ખૂબીનો ખ્યાલ હોય, તેઓને બેમાંથી એકેયમાં આશ્ચર્ય થાય તેમ નથી.
ફક્ત આપણી હાલની ઊછરતી પ્રજાને આપણાં વિધાનો ઉપર જે અશ્રદ્ધા થાય છે, તેનું કારણ શાસ્ત્રના વિશાળ વર્ણનો નથી, હાલના વિજ્ઞાનની શ્રેષ્ઠતા પણ નથી, તેઓની મનોવૃત્તિ પણ નથી. પરંતુ, કારણ માત્ર એક જ છે કે–શિક્ષણ સંસ્થાઓમાં વર્તમાનપત્રોમાં અને જાહેર સભાઓમાં અહીંના જ્ઞાન-વિચાર
૧૭.