________________
સ્વરૂપ આપવા માટે મોટી જાહેરાત કરી. પણ વિજ્ઞાનમાં તેનું સ્થાન ઘણું જ નજીવું છે. છતાં તે વખતે વકરા માટે મોટું સ્વરૂપ આપ્યું અને તેને ટેકો આપનાર વર્ગ અહીં પણ ઉત્પન્ન કર્યો. ચરકની અદ્ભુત કાયચિકિત્સા હજુ તેઓને સમજાતી જ નથી. ત્યાંની કાયચિકિત્સા હજુ બાલ્યવયમાં છે. આર્યવિજ્ઞાન આગળ આધુનિકવિજ્ઞાન બાળક છે. તેના આવા અનેક પુરાવા છે.)
જે પ્રજા શિકારીઓ અને તેના ભક્તો ઉપર વિશ્વાસ રાખી પોતાનું ખરું આશ્રય સ્થાન છોડશે નહીં. તે પ્રજાનો લશ્કરી દોરથી નાશ કરી શકાશે નહીં. વારંવાર એમ કરી શકાતું નથી. અસાધારણ ભય બતાવવામાં આવે, તેથી ચલિત થાય, ને બાકીના ટકી રહે, ને વળી લશ્કરી દોર મુલતવી રાખવો પડે. પ્રજાનું મન ભાવનાથી જેટલું સજ્જડ રીતે પલટી શકાય છે, તેટલું લશ્કરી દોરથી પલટી શકાતું નથી. માટે શિકારીઓથી આર્યોને બીવાને ખાસ કારણ રહેતું નથી.
આર્યસંસ્કૃતિને વળગી રહેનારા મૂર્ખ નથી, ડહાપણ વગરના નથી. પરંતુ દુનિયામાં સર્વોપરી ડાહ્યા છે અને સંપૂર્ણ સમજદાર છે. અલબત્ત, આજના છાપાંઓ અને કૃત્રિમ સાહિત્ય આ વાતની નોંધ લેતું નથી. પણ તેઓ પ્રતિષ્ઠાપૂર્વક જગતમાં જીવી રહ્યા છે, તે જ તેમની ખરી નોંધ છે. પ્રધાનો અને દેશનાયકોને વશ કરવા જેટલા મુશ્કેલ નથી, તેટલા આર્ય સંસ્કૃતિ પ્રમાણે જીવનારાઓને જીતવા મુશ્કેલ છે. પરદેશીઓનું ધ્યાન તેમના ઉપર જ હોય છે. બાકી પોતે ઊભા કરેલા સોગઠાઓને તો ક્યાં બેસાડવા અને ક્યાંથી ઉઠાવવા એ
૫૬