________________
૧૧. દરેક ધર્મોના ધર્મગુરુઓ સાથે આ બાબતનો સહકાર સાધી
તેમને આ તત્ત્વો સમજાવી તેમના ધર્મો ટકાવવાના પણ
માર્ગો બતાવવા અને પરસ્પર સહાયક થવું. ૧૨. ગીતાર્થપરંપરા પ્રાપ્તસામાચારી ઉપર રુચિધારક અને તેના
પાલક ધર્મગુરુઓના માર્ગમાં વિજ્ઞભૂત થતા કાયદાકાનૂનો ન થાય, તેવા પ્રયત્નો કરવા. એ જ અબાધ્ય જૈનશાસન છે અને તે જ સદા જગતનું અનન્ય શરણ છે. રીતસર પ્રતિનિધિત્વવાળી ભારતીની જગતશેઠની સંસ્થાને ઢાંકી દેવા બિનકાયદેસર પ્રતિનિધિત્વથી પરદેશીઓએ ઉત્પન્ન કરેલી અને આગળ વધવા દીધેલી
કિૉંગ્રેસ વગેરે સંસ્થાઓનાં કાર્યોમાં ટેકો ન આપવો જોઈએ. ૧૪. બ્રિટિશ સરકારની રાજ્ય વ્યવસ્થાનો વિરોધ ન કરવો.
પણ આપણા જીવનમાં પ્રવેશ કરનારી યોજનાથી સાવચેત
રહેવું. ૧૫. દુનિયામાં સીધી કે આડકતરી રીતે જગતકલ્યાણકર જૈન
શાસનને નુકસાન કરનાર ક્યાંય પણ કાંઈપણ તત્ત્વ ઉત્પન્ન થાય, તે જાણવાની સાવચેતી રાખવી અને તે વધુ
પ્રસરે નહીં તેને માટે પ્રયત્નો કરવા. ૧૬. બેકારીમાં પણ ધર્મ, વૈર્ય ન છોડવાની સ્વધર્મીબંધુઓને
ધીરજ આપવી ને મક્કમ બનાવવા. ૧૭. સમાજવાદ, સામ્યવાદ, કોમ્યુનિસ્ટપક્ષ વગેરે તત્ત્વો
૮૫