________________
૪. ચતુર્વિધ સંઘર્તી અને તેના પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ સિવાયની કોઈપણ સંસ્થાના કાર્યને ટેકો ન આપવો
જોઈએ. ૫. જ્ઞાતિઓની રીતસર સભાઓ સિવાય, તેનાં સંમેલનો અને
મંડળોને ટેકો ન આપવો જોઈએ. ૬. સર્વધર્મનાં તત્ત્વો સમજવાની વાત બાળજીવોને ન
સમજાવવી જોઈએ. ૭. સમજુ સ્વધર્મીબંધુઓને આવા અજ્ઞાન ભરેલા
નુકસાનકારક વિચારોની સમજ પાડવી. ૮. તીર્થંકરપરમાત્મા, ત્યાગીગુરુઓ અને આગમોક્તધર્મની
પ્રતિષ્ઠા ટકાવી રાખવા આકાશપાતાળ એક કરવાં. ૯. સંઘમાં ફેલાતી બેકારીના ઉપાય તરીકે જેમ જેમ હાલનાં
સાધનોનો ઉપયોગ કરવામાં આવશે, તેમ તેમ વિશ્વધર્મપરિષદનાં ધ્યેયો સિદ્ધ થવાનાં. માટે બેકારી ન
લાય તેને માટે સાવચેત રહેવું. તેવા કાયદા ન થાય, તેવાં
કાયદેસર પગલાં લેવાં. ૧૦. બેકાર જૈનબંધુઓ માટે ફંડ કરી તેમને આશ્રિત બનાવવાને
બદલે દુનિયાના વિશાળ ક્ષેત્રમાં સ્વપુરુષાર્થથી આગળ આવે તેવો માર્ગ તેમને માટે ખુલ્લો રાખવો. મદદની સંસ્થાઓ ખોલાવી તેઓને પુરુષાર્થ કરતા આજે આવવું નહીં જોઈએ.