________________
આખર તો ગોરી પ્રજાને આગળ વધારનારાં છે. માટે
તેઓથી પણ તટસ્થ જ રહેવું. ૧૮. કોઈ પક્ષ સાથે વિરોધ કરવો ન પાલવે, તો ન કરવો,
પરંતુ ધર્મ-હાનિકર સહકારમાં તો પૂરો સંયમ રાખવો. ૧૯. આપણા માર્ગભૂલેલા કેટલાક યુવકો અને દેશનાયકો તરીકે
ગણાયેલા દેશબાંધવો અને ધર્મબાંધવોને દેશહિત, પ્રજાહિત, ઐતિહાસિક, આર્થિક, રાષ્ટ્રીય, શારીરિક, ધાર્મિક, સામાજિક વગેરે સત્ય દષ્ટિબિંદુઓથી સત્ય
સમજાવવા ખાસ પ્રયત્ન કરવો. ૨૦. પરચૂરણ પ્રવૃત્તિઓ બંધ પાડીને એક ધર્મરક્ષા તરફ જ
દરેક શક્તિઓને હવે કેન્દ્ર કરવાની અતિ અગત્યની
જરૂર છે. ૨૧. મહાવીર જયંતી વગેરે અશાસ્ત્રીય અને આધુનિક ઉત્સવો
આ ધર્મ વિઘાતક પ્રવૃત્તિઓને વધુ વેગ આપશે, માટે તેથી દૂર રહેવું જોઈએ.
ગોરી પ્રજાઓ રાજ્ય સત્તા મારફત આડકતરી રીતે શી રીતે ધર્મોમાં પ્રવેશ કરવા પ્રયત્નો કરી રહેલ છે અને તેનું છેવટનું શું પરિણામ છે? તે વિશે પ્રમાણભૂત લેખ લાંબો થવાથી અને વખતસર બહાર પાડવા રીતસર તૈયાર થઈ શકે તેમ ન હોવાથી ટૂંકામાં સૂચિતરૂપે આ સામાન્ય નિબંધ અત્રે મૂકવામાં આવેલ છે.