________________
છે અને સો વર્ષમાં તે પોતાના મૂળ ધર્મમાં ભળી જશે.''
જગતના વિદ્યમાન ધર્મોના પુસ્તકોમાં પણ એ ધ્વનિ મૂકેલ છે.
પરમાણંદ કાપડિયાના અમદાવાદના ભાષણમાં પણ એ ધ્વનિ છે. હમણાં એક જૈનેતર વિદ્વાનના ભાષણમાં પણ “જૈનોને પૂજારી તરીકે હિંદુ બ્રાહ્મણો રાખવા પડે છે, માટે જૈનધર્મને મૂળ હિંદુ ધર્મમાં ભળી જવું પડશે.' એ ધ્વનિના ભાષણની સમાલોચના જૈનપત્રના અગ્રલેખમાં જ હતી.
શા. મનસુખ રવજીએ જૈનકોમનો મૃત્યુઘંટ નામનો લેખ લખ્યો હતો.
આપણા યુવાનો મારફત સંપ્રદાયોનો નાશ કરે. હિંદુઓ, જૈન, બૌદ્ધ વગેરેનો નાશ કરે અને ખ્રિસ્તીઓ બધાનો નાશ કરે અને વિશ્વધર્મપરિષદનું ધ્યેય સિદ્ધ થાય.
:
આ માટે હે એકાન્તત ઃ શાસનભક્ત નરવીર ! તારું શું કર્તવ્ય ! તે આ ઉપરથી તું સમજી લેજે.
૧. વિશ્વધર્મપરિષદના કાર્યમાં ટેકો ન આપવો જોઈએ.
૨. સર્વધર્મ પરિષદનાં કાર્યોમાં ટેકો ન આપવો જોઈએ. તે તેની પેટા સંસ્થાઓ છે.
૩. અસ્વાભાવિક રીતે નવા જૈનો બનાવવાનાં કાર્યોમાં ટેકો ન આપવો જોઈએ. સરાક વગેરે જાતિઓને જૈન બનાવવાનું કાર્ય નવા જૈનો બનાવવા તરફ ઘસડી જશે.
૮૩