Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 90
________________ છે અને સો વર્ષમાં તે પોતાના મૂળ ધર્મમાં ભળી જશે.'' જગતના વિદ્યમાન ધર્મોના પુસ્તકોમાં પણ એ ધ્વનિ મૂકેલ છે. પરમાણંદ કાપડિયાના અમદાવાદના ભાષણમાં પણ એ ધ્વનિ છે. હમણાં એક જૈનેતર વિદ્વાનના ભાષણમાં પણ “જૈનોને પૂજારી તરીકે હિંદુ બ્રાહ્મણો રાખવા પડે છે, માટે જૈનધર્મને મૂળ હિંદુ ધર્મમાં ભળી જવું પડશે.' એ ધ્વનિના ભાષણની સમાલોચના જૈનપત્રના અગ્રલેખમાં જ હતી. શા. મનસુખ રવજીએ જૈનકોમનો મૃત્યુઘંટ નામનો લેખ લખ્યો હતો. આપણા યુવાનો મારફત સંપ્રદાયોનો નાશ કરે. હિંદુઓ, જૈન, બૌદ્ધ વગેરેનો નાશ કરે અને ખ્રિસ્તીઓ બધાનો નાશ કરે અને વિશ્વધર્મપરિષદનું ધ્યેય સિદ્ધ થાય. : આ માટે હે એકાન્તત ઃ શાસનભક્ત નરવીર ! તારું શું કર્તવ્ય ! તે આ ઉપરથી તું સમજી લેજે. ૧. વિશ્વધર્મપરિષદના કાર્યમાં ટેકો ન આપવો જોઈએ. ૨. સર્વધર્મ પરિષદનાં કાર્યોમાં ટેકો ન આપવો જોઈએ. તે તેની પેટા સંસ્થાઓ છે. ૩. અસ્વાભાવિક રીતે નવા જૈનો બનાવવાનાં કાર્યોમાં ટેકો ન આપવો જોઈએ. સરાક વગેરે જાતિઓને જૈન બનાવવાનું કાર્ય નવા જૈનો બનાવવા તરફ ઘસડી જશે. ૮૩

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94