Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 88
________________ શોધખોળ કરનારી સંસ્થા પણ ધર્મમાં માથું મારવા ઊભી થઈ. દરેક કોમોની કૉન્ફરન્સો વગેરે પણ ભવિષ્યમાં એ સ્વરૂપમાં ફેરવી નાંખશે અને ફેરવાઈ પણ જશે. કેમ કે-એ સંસ્થાઓ એમની છે. શેઠ આણંદજી કલ્યાણજી જેવી પેઢીમાં પણ એ તત્ત્વો સો વર્ષથી જ સહેજ સહેજ દાખલ થઈ ગયાં છે, તો પછી બીજાની તો વાત જ શી ! કોઈ કોઈ સામુનિરાજો અને આચાર્યો ઉપર પણ એ જ અસર થઈ છે ! તો પછી બીજાની તો વાત જ શી? માટે સર્વધર્મપરિષદના કોઈપણ કાર્યક્રમમાં ભાગ લેવો, એટલે પોતાના ધર્મો ઉપર ઘા મારવાના કામમાં મદદ કરવી, એ અર્થ થાય છે. સાધુઓના દાખલા તરીકે કરાંચીમાં સર્વ ધર્મ પરિષદના પ્રમુખ વિદ્યાવિજયજી મહારાજ થયા. ગવર્નર સાહેબને મળેલા. દીક્ષાનો કાયદો કરાવ્યો. રાજય વહીવટ પ્રધાનોને સોંપ્યા પછી મોટા અમલદારોનું હવે ધર્મો અને સમાજોમાં પ્રેવશ કરવાનું મુખ્ય કામ છે. જે મહારાજજી સમજી શક્યા નહીં. મોટું માન સમજીને દોરવાઈ ગયા જણાય છે. જો સમ્યકત્વ જેવી કોઈ પણ વસ્તુ હોય તો તે ગુણની તેવા કામથી મહામલિનતા થાય છે અને જો સમતિ જેવી વસ્તુ ન હોય તો પછી કાંઈ પણ વાંધો નથી અને જો હોય તો એ પરિષદોને ટેકો આપવામાં વીતરાગધર્મ, વીતરાગધર્મના ધર્માત્માઓ અને તેના સંઘનો લોપ કરવા બરાબર છે. જ્ઞાતિઓની લોહીની પવિત્રતા જળવાશે નહીં, તો પણ એ જ પરિણામ છે. જ્ઞાતિઓની મૂળ પૉલિસી કરતાં જુદી જ રીતે કામો કરવાને માટે પોરવાડ સમેલન, ઓસવાળ સમેલન

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94