________________
એ ભાવના ઉત્પન્ન કરવામાં પણ ભારતના ત્યાગી વર્ગની આડકતરી નિંદા જ છે એ “પરભવ કે પુનર્જન્મને માટેની તૈયારી કરવી, એ પણ નકામા પ્રયત્ન છે. ત્યારે લોકસેવા એ જ ખરો ધર્મ છે અને એ જ ધર્મનું કે ધર્માત્માના જીવનનું ખરું ધ્યેય હોવું જોઈએ.” એ ભાવના ઉત્પન્ન કરવી એ ખરેખર હિંદના ધર્મો ઉપર આડકતરો ફટકો છે.” સાધુઓએ મહેનત-મજૂરી કરવી પડશે, લોકસેવા કરવી પડશે, માળા ગણ્યે નહીં ચાલે.” વગેરે અહીંના યુવક માનસમાં એ વિચા૨નો પડઘો સ્પષ્ટ દેખાય છે. અહીં દેશી રાજ્યો પણ ધર્માધિકારીઓ રાખીને દરેક ધર્મવાળાઓનાં વ્યાખ્યાનો કરાવે છે અને પ્રજાને સાંભળવા પ્રેરે છે. એમ ધીમે ધીમે રાજ્ય સહાયથી જ ગમે તે ધર્મવાળા સ્થાનમાં ખ્રિસ્તી પાદરીઓ ધર્મોપદેશ આપવાની સગવડ કદાચ મેળવશે.
આ તરફ ધર્મસ્થાનો અને તેના વહીવટકર્તાઓ ઉપર અંકુશ મૂકનારા કાયદા, દરેક ધર્મોનાં સ્થાનોના વહીવટ બહાર પાડવા, ધર્માધિકારીઓ હસ્તક પૂજારીઓ વગેરેના દરજ્જા તથા પગાર નક્કી કરવાની સત્તા વગેરે તથા સર્વ ધર્મ પરિષદોનું મોટા રૂપમાં પ્રચાર કાર્ય, પ્રાચીન શોધખોળને નામે ધર્મ સિદ્ધાંતો અને માન્યતાઓમાં અશ્રદ્ધા, વિજ્ઞાનના પ્રચારથી ધર્મનાં તત્ત્વો ઉપર અશ્રદ્ધા વગેરે પ્રચાર પણ મૂળ ધર્મોનો ઘાતક છે.
હમણાં જ “ઈંડિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' જેવી પ્રાચીન શોધખોળ કરવાનો દેખાવ કરનારી (પ્રાયઃ) સરકારી સંસ્થા પં. માલવીયાજીના પ્રમુખપણામાં એકાદ બે મહિનામાં સર્વધર્મ પરિષદ ભરવાની છે. રાજાઓ ધર્મમાં માથું મારે. પ્રાચીન
८०