________________
સંસ્થાઓ નીકળી, પણ કામ તો સ૨કા૨ની નીતિ પ્રમાણે જ કરે છે, પછી તે શ્રી કૃષ્ણ વિદ્યાલય હો, કે મહાવીર વિદ્યાલય હોય, કે સયાજી વિદ્યાલય હોય, કે નંદકુંવરબા શાળા કે મોંઘીબા કન્યાશાળા હોય, જે નામ હોય તે ભલે હોય પણ સર્વની કાર્યદિશા તો પરદેશી નીતિ પ્રમાણે સ્થપાયેલી યુનિવર્સિટીએ નક્કી કર્યા પ્રમાણે જ હોય છે.
માટે “આપણા ધર્મનાં સારાં તત્ત્વો તેઓ સમજવા માંગે છે, માટે તેમને સમજાવીએ” એ વિચાર પણ ખોટો છે, કેમ કે, તેનો ભવિષ્યોમાં દુરુપયોગ કરવાનો છે.
“બીજા ધર્મોમાં પણ સત્યના અંશો હોય છે, માટે તેને પણ સાંભળવા જોઈએ.” એ જાતની ગીતાર્થો માટે શાસ્ત્રમાં છૂટ છે. પણ બાળજીવો માટે તો “બીજા ધર્મવાળા સાથે પરિચય ન ક૨વો, તેની વાતચીત ન સાંભળવી. તેનો ઉપદેશ ન સાંભળવો.” વગેરે નિષેધોને સમ્યક્ત્વ શુદ્ધિ કહેલ છે. એમ કહેવામાં સંકુચિતતા નથી, પણ બાળજીવોનું હિત છે. બાળજીવો સારાસાર જુદો પાડી શકતા નથી. માટે તેમને ચેતવવામાં આવે છે.
“બધા ધર્મોવાળાનું સાંભળવું” એવા ઉપદેશકો હાલમાં બધે ફરે છે. તે મૂળ તો વિશ્વધર્મપરિષદનું પ્રચારકાર્ય છે. સર્વનું સાંભળવાની વૃત્તિ સામાન્ય પ્રજામાં ઉત્પન્ન કરવાથી તેની ચુસ્તતા રહેતી નથી અને એ રીતે ભવિષ્યકાળમાં ખ્રિસ્તી વક્તાઓને સાંભળનારો મોટો શ્રોતાગણ ઉત્પન્ન કરી આપવાની જાહેરાત થાય છે. એ રીતે ભવિષ્યમાં મોટો શ્રોતાગણ મળી ગયા
૭૮