Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 84
________________ પણ સ્વાભાવિક છે. એમ થોડા પણ ચુસ્ત રહે તો શો વાંધો ? એ પ્રશ્ન વિચારવા જેવો છે. વાંધો એ છે કે બહુમતીવાદ એવો છે, કે પછી તેમાં લઘુમતી કાયદેસર ટકી શકે નહીં. રાજસત્તાઓ અને રાષ્ટ્રો પણ બહુમતીને ટેકો આપવાના. “લઘુમતી એટલે કાંઈ નહીં, એવો અર્થ થાય, એટલે તે તે ધર્મોના ચુસ્તોને પણ પોત પોતાનો ધર્મ છોડવો પડે અથવા મહા મુશ્કેલીથી ધર્મ પાળી શકે. તે તે ધર્મોનાં સારાં તત્ત્વો એકઠાં કરીને નવો વિશ્વધર્મ ઉત્પન્ન થાય તો પછી તેમાં વાંધો શો? જો કે તે તે ધર્મવાળાઓને આકર્ષવા તે તે ધર્મોનાં સારાં તત્ત્વોનું પ્રથમ મિશ્રણ કરવામાં આવશે. પહેલા તો એવી રીતે સુતત્ત્વોમય નવો ધર્મ ઉત્પન્ન થતો લાગશે, પણ આખર તે તત્ત્વો ભેળવેલાં તો હશે મુખ્ય ખ્રિસ્તી ધર્મનાં જ. એટલે પાછળથી તેને જ મુખ્ય કરી નાંખવાનો છે. અને દેવ ઈસુખ્રિસ્ત જ સર્વગુણસંપન્ન તરીકે, આરાધ્ય તરીકે ઠરાવવાના છે. એટલે એ બધાં તત્ત્વો સાથેનો પણ મુખ્ય તો ખ્રિસ્તી ધર્મ જ વિશ્વધર્મ તરીકે રાખવાના નિર્ણય ઉપર તેઓ મક્કમ છે. તેના પ્રચારના અંગ તરીકે આકર્ષવા માટે વચલી અનેક યોજના જો કે તેઓ સ્વીકારશે, પણ તે માત્ર પ્રચારના અંગ તરીકે જ હશે. કેળવણી ફેલાવવા માટે રાજાઓનું, રાજાઓના માતાપિતાનું ધર્મોવાળા દેવોનું નામ જોડીને તે તે

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94