________________
એક સંસ્થા તેઓએ ઊભી કરી લીધી. હવે ભારતમાં પ્રભુ મહાવીરે સ્થાપેલો પરંપરાનો સંઘ અને યુરોપનો ઋષભ મહાવીર સંઘ બન્નેની અથડામણી ચાલુ રહેવાની જ. એ સંઘ નવા જૈનો દાખલ કર્યો જશે, સંખ્યા વધારશે અને જૈનોની મોટી સંખ્યા લઈને ભવિષ્યમાં વિશ્વધર્મપરિષદમાં જશે અને ત્યાં બહુમતીમાં હારીને આવશે ને ખ્રિસ્તી વિશ્વધર્મ તરીકે દુનિયાના જૈનોને પણ બંધનકર્તા થાય, તેવી રીતે સ્વીકાર કરતા આવશે ને પછી અહીંના સંઘનો વાંક કાઢશે કે-“તમોએ જૈનોની સંખ્યા વધારી નહીં, એટલે અમારે હારી જવું પડ્યું. જૈનોની જેમ એક અંગ્રેજ ગૃહસ્થ મી. જેરામદાસ નામ ધરીને હિંદુ થયા છે. મી. ધર્મપાલ (ઇટાલીના ગૃહસ્થ છે) જે બૌદ્ધ આચાર્ય થયા છે. યુરોપના ગૃહસ્થો તે તે ધર્મમાં પેસીને તે તે ધર્મને નવું સ્વરૂપ આપીને તે તે ધર્મનો પ્રચાર કરશે. જૂનું સ્વરૂપ આપોઆપ તૂટે જ અને નવું સ્વરૂપ જમાનાને એટલે ખ્રિસ્તી ભાવનાને, વિજ્ઞાનને કૃત્રિમ બંધુભાવનાને અને માત્ર નીતિમય જીવનને જ અનુકૂળ ઘડતા જશે. તેમ તેમ ખ્રિસ્તી ધર્મનું વિશ્વધર્મ તરીકેનું કાર્ય વધારે સફળ થાય, એ સહજ જ છે.”
દરેક ધર્મવાળાના મુખ્ય પુરુષોની આંતરિક ઇચ્છા ન હોવા છતાં, તે તે ધર્મમાં દાખલ થયેલ વિદેશી હિતચિંતકો તે તે ધર્મના થોડા સુધારકોની સહાયથી વધુ ને વધુ પોતપોતાનો ધર્મ ફેલાવવા પ્રયત્ન કરશે અને તેથી ખ્રિસ્તી ધર્મવાળાઓને પણ એ હક રહેવાનો જ. તે ધર્મમાંથી ખ્રિસ્તીમાં કેમ ખેંચાઈ આવે, તેને માટે તે તે ધર્મનો અભ્યાસ કરનારા, તેમાં જ તદનુકૂળ
9