________________
પછી એ લોકો એક જ વખતના ઉપદેશથી સંખ્યાબંધ લોકોને ખ્રિસ્તી કરી શકશે.
બીજું, હમણાં સો વર્ષ પહેલાં રક્તપિતીઆઓની સેવા કરનાર ખ્રિસ્તી પાદરીનાં હાડકાં મોટા ઠાઠથી યુરોપની મધ્યમાં થઈને ઇંગ્લેન્ડ લાવવામાં આવ્યા અને તેને મોટું અસાધારણ માન આપવામાં આવ્યું. આ ઉપરથી તથા ઇંગ્લેન્ડના હાલના બન્ને રાજાઓએ પણ પોતાની ધર્મ વિશેની પ્રતિજ્ઞા હાલમાં જેવા જોરથી કરી છે, તેવા જોરથી અગાઉ જોવામાં આવેલ નથી. આ બધા ઉપરથી ઇંગ્લેન્ડની રાજનીતિ “હવે સીધી રીતે ધર્મ તરફ વળી હોય”, તેમ જોવાય છે.
“તીર્થંકરપ્રભુ વગેરે મહાભાવવૈદ્યોનાં હાડકાંઓ વગેરેની દેવી પૂજા કરતા હતા” એમ આપણા શાસ્ત્રમાં આવે છે, તેની આ હરીફાઈ છે. એટલે “રોગીની સેવા કરનારાઓ અને એવા લોકસેવાના કામ કરનારા ખરા મહાત્માઓ છે. માટે તેઓ પણ પૂર્વના ભારતીય મહાત્માઓની તુલનાના છે અથવા તેથી વધારે છે.” એવો ભાવ ઉત્પન્ન કરીને લોકપ્રિય કરવાની યુક્તિ છે અને બહારથી અમો અમારા ધર્મના મહાત્માઓને સ્વાભાવિક રીતે માન આપીએ છીએ. એવો ભાસ પણ ઉત્પન્ન કરી શકાય છે. આમ બેવડી રીતે કામ લેવામાં આવેલું છે.
જો કે તીર્થંકર પરમાત્માઓ વગેરે ભાવ વૈદ્ય હતા અને તેઓએ અનેક રીતે જગત કલ્યાણકર આધ્યાત્મિક જીવન બતાવ્યું છે ત્યારે “આ જમાનામાં આધ્યાત્મિક જીવન, એ તો નવરાનું જીવન છે. લોકસેવા એ જ ધર્મગુરુઓનું ખરું કામ છે”
૭૯