________________
આપણે સંખ્યા વધારીશું નહીં તો, આપણું વિશ્વધર્મપરિષદમાં સ્થાન રહેશે નહીં.” એવી બીકથી કેટલાક ભોળા જૈનો સંખ્યા વધારવાની હરીફાઈમાં પડે અને વિશ્વધર્મપરિષદનું ધ્યેય ‘છેવટે કોઈ પણ એક જ ધર્મ દુનિયામાં સ્થિર કરવો અને તે પણ ખ્રિસ્તી જ.” કેમકે સંખ્યા ઉપર આધાર મૂકવામાં જ અહીં તેમની પોલિસી પણ સ્પષ્ટ થઈ જાય છે.
,,
એ કામમાં જે જે ધર્મોવાળા સહકાર આપે તે લેવામાં વાંધો શો ? ન આપે તો પણ લેવો જોઈએ. “એક ધર્મ કરવો એટલે બીજા છૂટક નષ્ટ કરવા” એ અર્થ સ્પષ્ટ જ છે. “જૈનો બુદ્ધિશાળી વર્ગ છે. તેઓ એક ધર્મ કરવાની હિલચાલમાં જોડાય, તો તેણે પોતાના ધર્મના નાશમાં પણ સહકાર આપ્યો તો ગણાય જ. એવું પગલું એ ભરે નહિ. પરંતુ, ખરી વસ્તુસ્થિતિથી અજ્ઞાન એક સુધારક વર્ગ ઊભો કર્યો છે. તે આગળ પડવા ભરાતો ફરે છે. તેને ના પાડે, એટલે તે વધારે ઘૂસવા પ્રયત્ન કરે. એટલે ભવિષ્યમાં કહી શકાય, કે “અમે તો ના પાડતા હતા, પણ તમે લાગવગથી આવ્યા માટે પેસવા દીધા એટલે કે-તમે તમારી ઇચ્છાથી' આવ્યા છો.' એક વાત પકડ્યા પછી છોડાય નહી, એટલે પછી એ સંસ્થાના ઉદેશને એ વર્ગ બરાબર વેગ તો આપે જ. એટલે ચુસ્ત વર્ગ જોર કરી શકે નહીં અને જેમ જેમ તે નબળો પડતો જાય, તેમ તેમ ધર્મ પણ નબળો પડતો જાય.
આ બધું થયા પછી પાછા મિ. હર્બટ વોરન વગેરે આગળ આવી મી. લાલનને આગળ કરીને ઋષભ મહાવીર જૈન સંધ સ્થાપે છે. એટલે જૈનધર્મને નામે યથેચ્છ પ્રચારકાર્ય માટે
૭૪