Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 80
________________ આ બે તત્ત્વોને ખૂબ સ્થિર કરેલ છે. ,, પ્રસ્તાવનામાં જગતમાં એક ધર્મ હોય તો સારું. પછી ગમે તે હોય, તેની સામે કેમ જાણે વાંધો ન હોય, તેમ તટસ્થતા બતાવી છે. આ પ્રસ્તાવનાકાર દેશીબંધુઓએ શ્રીસિદ્ધસેન દિવાકરજીની દ્વાત્રિંશિકામાંનો સર્વસિન્ધવઃ-એ શ્લોક ટાંક્યો છે. એટલે કે-“એક મહાધર્મમાં બીજા ધર્મોરૂપી સર્વ નદીઓ આવી મળે છે.' તે મહાધર્મ કયો ? ગ્રંથ લેખકને મહાધર્મ-તરીકે ખ્રિસ્તી ધર્મ અભિપ્રેત છે, જ્યારે શ્લોકકારને સ્યાદ્વાદમય તત્ત્વજ્ઞાન. ત્રીજી પરિષદમાં મી. લાલન પ્રતિનિધિ તરીકે ગયા. પણ તેમાં તેમણે પ્રથમ ભાગ લેવા ન દીધો. લાગવગથી ઘૂસવું પડ્યું. ભાગ લેવા ન દેવાનું કારણ માત્ર-જૈનોની નાની સંખ્યા જ' જાહે૨માં બહાર આવ્યું હતું. કેવું વિચિત્ર કારણ ? પૂ. આત્મારામજીમહારાજને આગ્રહ કરીને બોલાવાય છે, ત્યારે બીજી પરિષદ વખતે પ્રતિનિધિ પણ માંગવામાં આવતો નથી. પેસવા જાય છે, તેને પણ નકારવામાં આવે છે, ત્યારે તેમને લાગવગ લગાડવી પડે છે. સંખ્યાનું બહાનું શા માટે આગળ કર્યું હશે ? એ એક કોયડો છે. ત્યારે શું નાની સંખ્યાને લીધે જૈનોને ન પેસવા દેવાનો તેઓનો પાકે પાયે વિચાર ખરો ? બને નહીં. સંખ્યાનું બહાનું આગળ કરવાનું કારણ એ કે જેથી જૈનો પોતાની સંખ્યા વધારવાની ભૂલ-ભૂલામણીમાં પડે. “જો ૭૩

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94