________________
પોતપોતાના ધર્મની ઉન્નતિની નવીન સંસ્થાઓ કાઢીને, પ્રથમ તે મારફત એકતા વગેરેની વાતો કરીને પછી સંપ્રદાયો તોડવાની વાતો કરીને મૂળને વધારે આગળ લાવવાની લાલચો આવ્યે રાખે છે, ને વિનાશનો પંથ સરળ કરે છે.
આવું અનેકવિધ પ્રચારકાર્ય વિશ્વધર્મપરિષદની તરફેણમાં થઈ રહ્યું છે.
ત્યાર પછી ત્રણ જ વર્ષમાં ખુદ ઇંગ્લૅન્ડમાં ઇંગ્લૅન્ડના ધર્માધિકારીની દેખરેખમાં નામદાર ગાયકવાડ સરકારના પ્રમુખ પદે વિશ્વધર્મપરિષદ ભરાય છે.
એ ધર્માધિકારીને બધા ધર્મોનાં તત્ત્વોનું તો સામાન્ય જ્ઞાન હોય છે, પરંતુ દુનિયામાં કેટલા ધર્મો છે ? તેના પાળનારા કેટલા છે ? કયા વધારે મજબૂત છે ? કયા વધારે ચુસ્ત છે ? કયો ધર્મ વધારે પ્રજાને આકર્ષી રહ્યો છે ? કોની વધુ લાગવગ છે ? કોને કઈ લાગવગ વધુ આપવાથી તેના કેટલાક અનુયાયીઓ આપણાને વિશ્વધર્મપરિષદના કાર્યમાં મદદ કરે ? કોણ કોણ એવા માણસો છે ? સામો પક્ષ કેવો બળવાન છે ? અને તેમાં કોણ કોણ મજબૂત માણસો છે ? બીજા હાથ ઉપર તેમણે પણ કેવી રીતે રાજ રાખવાથી વિઘ્નરૂપ ન થઈ શકે ? વિઘ્નરૂપ થવા જતાં તેમના આર્થિક, ધાર્મિક વગેરે હક્કોની ચિંતા તેને કેમ ઊભી થાય ? વગેરે વ્યવહારુ પ્રશ્નોની બાબતોનું તેને વધારે સંગીન જ્ઞાન હોવાનો સંભવ છે.
નામદાર ગાયકવાડ સરકાર જેવા સત્તાધીશ રાજાની
૭૧