________________
હશે.”
પહેલી ગોળમેજીના ભાષણમાં પણ “ધર્મના ઝઘડા બંધ પડો.” એવું એક તેમનું સૂચક વાક્ય પણ પ્રાયઃ હતું એમ યાદ આવે છે.
અહીં શ્વેતાંબર મુનિઓની સત્તા તોડવા માટેની હિલચાલ દીક્ષા પ્રકરણના નામ નીચે શરૂ હતી. નામદાર ગાયકવાડ સરકારને મળવા જૈન આચાર્યો તથા મુનિઓ જાય છે. તેવામાં તેમને અતિ અગત્યના કામ માટે ઇંગ્લેન્ડ જવું પડે છે અને તે અગત્યનું કામ તે બીજું કાંઈ નહીં-પણ અમેરિકામાં ચિકાગોની વિશ્વધર્મપરિષદ તેમને હાથે ખુલ્લી મૂકાવવાની હતી.
કોઈ ધર્મગુરુ નહીં, ને એક રાજ્યકર્તા ધર્મ પરિષદ ખુલ્લી મૂકે, એ આશ્ચર્યજનક ઘટના નથી? છે, પણ બીજી રીતે નથી જ. નામદાર ગાયકવાડ સરકારને નાનપણથી તેવું શિક્ષણ આપેલું છે. પરિષદ ખુલ્લી મૂકતાં તેઓશ્રી સામાન્ય રીતે વેદાંતની સ્તુતિ કરે છે. જૈનોની અહિંસા પર જો કે જૈનોના નામનિર્દેશ વિના કટાક્ષ પણ કરે છે અને ખ્રિસ્તી ધર્મ તથા પ્રચારકોની પ્રશંસા કરે છે.
તેમની પાસે વાંચનાર રહે છે, તે પણ પ્રાયઃ હાલમાં ખ્રિસ્તી છે. એ બધું આગળ વધારવા માટે-જૈનોને દીક્ષા પ્રકરણમાં પાછળ પાડવામાં આવે છે અને તેમાં જૈનોની જ નવા સ્વરૂપે સ્થપાયેલી સંસ્થાઓનો ઉપયોગ કરવામાં આવે છે.