Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 75
________________ એ થિઓસોફિટોના બે-ત્રણ સિદ્ધાંતો પણ લગભગ એવા જ જણાયા છે. ૧. બંધુભાવ લાવવો. ૨. વિજ્ઞાનની મદદથી ધર્મોનું સંશોધન કરવું. ૩. સદાચારમાં પ્રજાને જાગ્રત કરવી. વહેમો ટાળવા વગેરે. તે દરમ્યાન ફ્રીમેશન વગેરે ઘણી સંસ્થાઓ, ક્લબો, સોસાયટીઓ વગેરે ખ્રિસ્તી સંસ્થાઓ આ દેશમાં સ્થપાયેલી છે. તેઓ ધીમે ધીમે એ કામ શરૂ રાખે છે. ૧૮૫૭ના બળવા પછી મૂકેલી રાજદ્વારી સ્કીમને રદ કરી, ફેડરેશન નામની નવી સ્કીમનો અમલ કરવા પ્રજા પાસે તેની માંગણી કરાવવા, અસહકારની હિલચાલને બહારથી દબાવવાના પગલાં ભરીને વેગ આપવામાં આવ્યો, ત્યારે એક શંકરાચાર્યને પણ પકડવામાં આવ્યા હતા અને તે અરસામાં એક હોમ મેમ્બર સાહેબ એવું બોલ્યા પણ હતા કે–“દેશના સામાન્ય હિતની વચ્ચે ધર્મ આડે આવશે તો ભગવા કપડાનું માન રહેશે નહીં”. લગભગ આવા તેમના શબ્દો હતા. ત્યારથી ધીમે ધીમે કિંઈક પ્રત્યક્ષ રીતે વિશ્વધર્મપરિષદને ટેકો અને અહીંના ધર્મો તરફ આડકતરું દબાણ શરૂ થયેલ જોવામાં આવે છે. ૧૯૩૩માં શિકાગોમાં બીજી વિશ્વધર્મપરિષદ થાય છે, તે પહેલાં ઇંગ્લેન્ડથી ઇંગ્લેન્ડના વડાપ્રધાન મેકડોનાલ્ડ સાહેબ અમેરિકામાં થોડા દિવસ ગયા હતા. તે વખતે મારું અનુમાન ચોક્કસ હતું કે “હિંદ માટેની કોઈ વિચિત્ર યોજના માટે ગયા ૬૮

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94