________________
“જગતમાં એક ધર્મ કરી શકાય, માટે પૂર્વે દેશના યુવાનો શી મદદ કરી શકે ?” એ વિષય ઉપર નિબંધ લખનારને ૫૦૦ ડૉલરનું ઇનામ આપવાનું અમેરિકાથી એ વખતે જાહેર થાય છે. મુંબઈ વગેરે વિશ્વધર્મપરિષદના એલચી-પ્રતિનિધિ આવી જાય છે. લગભગ તે વખતથી ને તેની પહેલાં કેટલાંક વર્ષોથી આ દેશમાં પણ સર્વધર્મ પરિષદો ભરાય છે અને એ જાતનું એકંદર વાતાવરણ દેશમાં ફેલાય છે. સંપ્રદાયો તોડી મૂળ ધર્મોની એકતાના વાયરા પણ ત્યારથી વાય છે. "
અંદર અંદરના ધર્મોવાળા પોતે જ પ્રથમ સંપ્રદાયો તોડે, તો પછી મૂળ ધર્મોને તોડી એક જ મૂળ ધર્મને કાયમ કરવાનું કામ તો વિશ્વધર્મપરિષદ કરવાની છે, પણ જયાં સુધી સંપ્રદાયો ન તૂટે, ત્યાં સુધી મૂળને તોડવાની વાત શી રીતે બને? સંપ્રદાયો તૂટે એટલે મૂળ તોડવાનું સહેલું થઈ પડે.”
મૂળ ધર્મોની બ્રાન્ચ ઑફિસો તે સંપ્રદાયો. સંપ્રદાયોમાં મૂળ ધર્મો મનુષ્યોની સગવડ પ્રમાણે વહેંચાયેલા છે, એટલે સંપ્રદાયો એ મૂળ ધર્મની વિશેષ શક્તિઓ છે. વધારે બળવાન મૂળ પેઢી જ બ્રાન્ચો કાઢી શકે. બ્રાન્ચો સંકેલવી પડે, એ જ મૂળ પેઢીની નબળાઈ. બ્રાન્ચો સંકેલાયા પછી બીજી મોટી હરીફ પેઢી મૂળ પેઢીને સહેલાઈથી ઉખેડી શકે. સંપ્રદાયોના નાશની હિલચાલમાં એવી જ નીતિ ગોઠવાયેલી છે.
સુધારક વર્ગને આડકતરું માનપાન અને આર્થિક ઉત્તેજન તો પરદેશીઓ તરફથી રહે જ છે અને તેઓ
૭૦