Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 71
________________ આધ્યાત્મિક જીવનવાળી પ્રજાને પણ નૈતિક જીવનમાં વધારે આકર્ષવામાં આવે છે. કેવળ નૈતિકતાની પ્રતિષ્ઠા એટલે આધ્યાત્મિક્તાનો હ્રાસ. ખ્રિસ્તી ધર્મ પાસે તત્ત્વજ્ઞાન જેવું પણ કાંઈ છે જ નહીં. એટલે હાલના વિજ્ઞાનની મદદ લેવા માટે વિજ્ઞાનની પ્રતિષ્ઠા ખાસ ઉત્પન્ન કરવામાં આવે છે. વળી ખ્રિસ્તી ધર્મ પાસે તાત્ત્વિક ઉપદેશ નથી, એટલે સંખ્યાબળ ઉપર ધર્મની શ્રેષ્ઠતા ઠરાવવામાં આવે છે. પ્રજાકીય લાગવગ, ફેલાતી બેકારી, વિદેશી કેળવણી, પોતાનાં શાસ્ત્રો વિશે અજ્ઞાત લોકોને દરેક ધર્મવાળાઓમાંથી ખેંચવાની તેઓએ ગોઠવી રાખેલી યુક્તિઓથી તેઓ પોતાની સંખ્યા દિવસે દિવસે વધાર્યે જાય છે. આજે વધારીને પપ કરોડની સંખ્યા કરી છે અને તેઓ એમ કહે છે.–“આ ધર્મ એટલો સારો છે કે લોકો સુખેથી તે ગ્રહણ કરી શકે તેવો છે, તેથી સંખ્યા સહજમાં વળે જાય છે, ને વિશ્વમાં ફેલાઈ જશે માટે તે ધર્મ વિશ્વધર્મ થવાને લાયક છે.” જેમ જેમ “ધર્મોમાં સડો પેઠો છે” એવી વાતો અહીંના લોકો મારફત ફ્લાવાતી જાય છે, તેમ તેમ તે ધર્મોના બળને તોડવાનો માર્ગ મળે છે. બંધુભાવની ભાવનાથી ઉદારતા બતાવાય અને તે તે ધર્મવાળાઓને આકર્ષી પણ શકાય, બંધુ બનાવી શકાય. બંધુથી જુદા ખાવાનું કેમ બને ? ભેગા ખાવાપીવાનું થાય, એટલે હિંદુઓ તો-જેને વટલાવું માને છે તે રીતે બંધુભાવનાની ભાવનાથી તેઓ સહેજે વટલાતા જાય. એમ લોહીની અને સંસ્કારની શુદ્ધિ જાળવવામાં ઢીલા થતાં બેટી અને રોટી ૬૪

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94