________________
તેઓ દેશ અને પ્રજાનો ઉદ્ધાર કરવાની, પ્રજાને સ્વતંત્ર કરવાની, સંસ્કૃતિ ખીલવવાની વાતો કરે છે. તે પણ માત્ર પ્રજામાં પોતાની પ્રતિષ્ઠા ટકાવી, આધુનિક વિજ્ઞાનના પ્રચાર માટે છે. તેમને પોતાની વસ્તુઓ, ભાઈઓ ઉપર સાચો પ્રેમ જ રહ્યો નથી માત્ર પરદેશી સંસ્કૃતિના ગુલામ-હથિયાર તરીકે કામ કરી રહેલા છે.
આર્યસંસ્કૃતિ રેતીનો ઢગલો નથી. આજ સુધી આ પ્રજાનું તેણે રક્ષણ કરેલું છે અને હજુ અનેક વર્ષો સુધી તે જ રક્ષણ કરશે.
તેનો કોઈ પણ પ્રયોગ અને વિચાર વિજ્ઞાનના પાયા ઉપર નવો રચાયેલો એમ નથી. કોઈ પણ રૂઢિરૂપ નથી, પરંતુ દરેકે દરેક પ્રવૃત્તિ વિજ્ઞાનના પાયા ઉપર રચાયેલી છે. માત્ર તેના ખરા અભ્યાસીઓની આંખે અભ્યાસ કરે છે. એટલે બુદ્ધિશાળી વર્ગનું પગાર, પેન્સનો અને કમિશનોથી વેચાણ થઈ જાય છે. પ્રજાકીય તથા રાજકીય નાણાંનાં સાધનો પણ બીજા શિક્ષણ તરફ ખેંચાઈ જાય છે. ત્યાંના વિજ્ઞાન ઉપરથી પડેલા એકે એક રિવાજનો હેતુ શાળા-કૉલેજોમાં બાળકોને જાણવા મળે છે ત્યારે અહીંના દરેક રિવાજોને રૂઢિ, કુરૂઢિ કહી નિંદવાનો રિવાજ ત્યાં વર્ષોથી ચાલુ છે.
ભારતીય તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનના પ્રયોગોએ પ્રજાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે પકડેલું અમુક પ્રકારનું સ્વરૂપ, તે પ્રજાનું હાલનું જીવન, પરંતુ તેને રૂઢિ અને કુરૂઢિ કહી
૫૪