________________
(૩)
એકાન્ત શાસનભક્ત નરવીરને
યુરોપની પ્રજા પોતાની પ્રગતિ અનેક રીતે કરી રહેલ છે અને તેને દુનિયાની પ્રગતિ કહી, તેમાં બીજી પ્રજાઓનો પણ સહકાર ખેંચી સ્વાર્થસિદ્ધિ કરે છે. યુરોપ સિવાયના પ્રદેશોમાં પણ પોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં છે અને જયાં સંસ્થાની સ્થાપી શકાયાં નથી, ત્યાંની પ્રજા ઉપર રાજા તરીકે સત્તા ધરાવે છે. જ્યાં તેમ પણ બની શકે તેમ નથી, ત્યાં સલાહકાર અને હિતચિંતક મિત્રો તરીકે રહે છે અને તેમ પણ જ્યાં બની શકે તેમ નથી હોતું
ત્યાં પરદેશી સનંદી વ્યાપારી તરીકે પોતાનું કાર્ય આગળ વધારે છે.
સંસ્થાનો અથવા તો સાંસ્થાનિક સ્વરાજ સ્થાપવા એટલે મૂળ પ્રજા ધીમે ધીમે નાશ પામતી જાય અને યુરોપીય પ્રજા ત્યાં જેમ જેમ વસતી જાય, તેમ તેમ ત્યાંના વતની થઈ ગયા પછી
૫૯.