________________
વાર્ષિક પાંચ-પંદર હજારનો વકરો, એક મ્યુનિસિપાલિટી એટલે નળ, ગટરો, ઇલેક્ટ્રિકના સામાનનો લાખોનો વકરો, પછી પગારો માનપાન આપવા કેમ ભારે પડે?
તમારા પ્રશ્નનો જવાબ એ છે કે સુધારક ગણાતા વર્ગે આ દેશની કારીગીરીને મોટો દગો દીધો છે. એ વર્ગ કાયમ પ્રજાની વસ્તુ સ્થિતિથી અજાણ રહ્યો છે અને છાપાંઓના વલણ ઉપર દોરાઈ ગયો છે. કેમ કે તેઓએ શિક્ષણ એવું લીધું છે અને તેઓને બહારના સંજોગો પણ તેવા જ આખે રાખવામાં આવેલા છે. દેશનાયક તરીકે ગણાતો વર્ગ પણ વિદેશી કેળવણી પામેલો જ વર્ગ છે. તેને દેશના જ્ઞાન-વિજ્ઞાન, સાચા અર્થશાસ્ત્ર, સાચા સમાજશાસ્ત્ર, સાચા ઇતિહાસ, સાચી ભૂગોળનું જ્ઞાન જ મળ્યું નથી. એટલે એ બાજુ તેઓને માટે તદ્દન અજાણી છે..
- આજે પણ તે લોકોમાંના બુદ્ધિમાન માણસો જૈન-બૌદ્ધ અને વૈદિક સાહિત્યમાં પ્રવેશ કરે, તેનો સંપૂર્ણ અભ્યાસ કરે અને દેશમાં વારસારૂપે પણ જે છૂટુંછવાયું વેરાયેલું પડ્યું છે, તેનોયે સંગ્રહ કરે, ઘણી મિલ્કત તેમાં રોકવામાં આવે, તો આધુનિક વિજ્ઞાન કરતાં લાખોગણી મિલકત મેળવી શકે તેમ છે. પરંતુ, આ તરફ કોઈનું ધ્યાન જાય તેમ નથી. જાય તો તેને માટે પૈસા મળે તેમ નથી. કેમ કે રાજા-મહારાજાઓની મૂડી પણ પરદેશી યંત્રવાદ અને કારીગીરીના ઉપયોગમાં અને હાલના વિજ્ઞાનની ખીલવટમાં ગોઠવાઈ ગઈ છે. શીખવા-શીખવવાનાં
સ્થાનો પણ નથી. જે છે, તે બીજું જ શીખવે છે. કેળવણી અને દેશસેવાને નામે સૌ ખર્ચ કરે છે, પણ તે બીજી રીતે. એટલે પણ
૩૪