________________
રાખવાનું કાર્ય કારીગરો અને તે તે ધંધાર્થીઓનું છે અને તે તે ધંધાર્થીઓનો ટકી શકવાનો આધાર પ્રજા તરફના ઉત્તેજન ઉપર છે. વિજ્ઞાનને નામે વ્યવહારમાં પોતાના કારીગરો અને ઉદ્યોગોને પ્રગતિમાં મૂકવાની યોજના સિવાય બીજો કોઈ પણ અર્થ હાલના વિજ્ઞાનની જાહેરાતમાં નથી. વિજ્ઞાનની બાબતમાં ખરી રીતે ભારતનાં તત્ત્વજ્ઞાનને અને વિજ્ઞાનોને તે કદી પહોંચી શકે તેમ છે જ નહીં. પરંતુ માત્ર વ્યવહારમાં તો વચ્ચે પ્રવેશ કરવા આજે માટે બધી તૈયારીઓ છે. વળી વિજ્ઞાનના મૂળ સિદ્ધાંતો તો બહુ જ થોડા હોય છે. પરંતુ, કેટલીક કારીગરોની વિશિષ્ટતા હોય છે. જેમ કે લોખંડ, પદાર્થની સિદ્ધિ થયા પછી ખાણમાંથી તે કેમ મેળવવો અને તેનો વિવિધ ઉપયોગ કેવી રીતે કરવો ? એ તેના નિષ્ણાત કારીગરો ઉપર આધાર રાખે છે.
પ્રજા જીવનમાં મહાત્માઓ, રાજાઓ, વ્યાપારીઓ, વિચારકો વગેરે વર્ગો હોય છે, તેમાંનો એક કારીગર વર્ગ પણ હોય છે. તેનું સ્થાન કાંઈ સર્વોત્તમ નથી હોતું. સંશોધકોને જે માન મળે છે. તે માન કારીગરોને નથી પણ મળતું. પરંતુ, આખી પ્રજામાં સૌ સૌને સ્થાને મહત્ત્વ આપવામાં આવે તો જ વાજબી ગણાય છે અને દરેક પ્રજામાં એમ જ હોય છે. અનેક ધંધાર્થીઓની પોતપોતાનાં કાર્યોમાં વિશિષ્ટતાઓ હોય છે, તેટલા ઉપરથી કાંઈ તેઓ પ્રજાનો સર્વોપરી વર્ગ ગણાતો નથી.
વિલાયતી માલ ખરીદ કરાવવાના જમાનામાં ત્યાંના કારીગરોની પ્રતિષ્ઠા આ દેશમાં ઉત્પન્ન કરવામાં આવી હતી. આજે સ્વદેશી માલ ખરીદવાના વાતાવરણનો જમાનો ઉત્પન્ન
૩૭