Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 43
________________ જોવા જેવી થાય. અત્યારે એ નૃત્ય કરનારાઓને છાપાઓમાં માન મળે, જાહેરાત મળે, સુધારકો પણ એ નૃત્યની કદર પીછાણે એટલે ધીરે ધીરે હાલનું વિજ્ઞાન તેને પડખે ચડે. સોએક વર્ષે તો-હજારો વર્ષ સુધી જીવીને એ કળાને જીવતી રાખનારો મૂળ વર્ગ તો-જોવા જ નહીં મળે. તેઓની અત્યારની વાહ વાહ અને વખાણનું આ ભાવિ પરિણામ. હજુ પણ સુધારક ગણાતો વર્ગ સમજે. હાલના વિજ્ઞાનની જાહેરાત મૂકી દે. ખોટા શુદ્ધ સ્વદેશીને બદલે વાસ્તવિક રીતના મહાશુદ્ધ સ્વદેશી તરફ વળે. તો જ ભારતના તત્ત્વજ્ઞાનની ખૂબી સમજાય. પરંતુ વાસ્તવિક સ્થિતિ જ એવી છે કે-એ વર્ગ એવા સંજોગોમાં ફસાયેલો છે કે તેમાંથી તે છૂટી શકે તેમ નથી. એટલે હજુ પણ પ્રજાજનો જે કાંઈ મૂળ જીવન મોટી સંખ્યામાં જીવી રહેલ છે, તેમાં જ ભારતીય સભ્યતા, કળા, કારીગીરી, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાનનો આત્મા છુપાયેલો છે. - જ્યારે-સ્વદેશી, હાલના શુદ્ધ સ્વદેશી, હાલનું વિજ્ઞાન, દેશનાયકો, સુધારકો, કેળવાયેલા, એ વગેરેમાં પરદેશી લાગવગનો આત્મા ગોઠવાયેલો છે. પ્રાચીન કળા, ખરું શુદ્ધ સ્વદેશી, ભારતીય તત્ત્વજ્ઞાન, ચાલુ ભારતીય આર્ય જીવન વગેરેમાં ભારતનો આત્મા છુપાયેલો છે. શાસ્ત્રોમાં જે ભવ્ય વર્ણનો છે, તેને વ્યવહારમાં જીવંત ૩૬

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94