________________
પોતાનું મૂળ જીવન જીવી રહેલ છે અને પોતાની પ્રજા તરીકેની મહત્તા ટકાવી રહેલ છે.”
જાપાન, ઇટાલી વગેરે યુરોપીય રાષ્ટ્રોની મદદથી લડાઈમાં ઊતરે છે, તેનો અર્થ એ છે કે તે પોતાની સ્વયં શક્તિ ગુમાવી બેઠેલ છે અને એશિયાવાસીઓ અંદર લડીને નબળા પડે છે, તેમાં યુરોપને નુકસાન શું? એબીસીનીયા ઉપર ઇટાલીનો છાપો એ તો માત્ર પ્રાથમિક શરૂઆત હતી. પરંતુ એશિયામાં લડાઈનાં બીજો નાંખીને યુરોપવાસીઓએ સામસામે મદદ કરીને, તે તે કાળી પ્રજાઓની સત્તાઓ ખોખરી કરી નાખ્યા પછી હાથમાં આવે, તે વહેંચી લેવાની છૂપી યુક્તિરૂપે ઇટાલી, જર્મન, પ્રજાસંઘથી છૂટાં પડેલ છે, છૂટાં પડવા દીધેલ છે અને પ્રજાસંઘ ખાલી ઘૂઘવાટ કરીને બેસી રહે છે. વખત જતાં જાપાન, ઇટાલી વગેરેના પૃષ્ઠબળથી અને ચીન, ઇંગ્લેન્ડ વગેરેના પૃષ્ઠબળથી થોડું ઘણું જોર કરશે. પરંતુ, આખર એ બન્નેય એશિયાનાં રાષ્ટ્રોને યુરોપના જ મુત્સદ્દીઓના હાથમાં રમવાનું રહ્યું એ આગ સળગતી સળગતી ભારતમાં પણ કોઈ જુદા જ રૂપે કદાચ આવે, તો ભારતની પ્રજામાં જે કાંઈ સ્વતંત્રતા, જીવનની સ્વતંત્રતા ટકી છે, તેના ઉપર ફટકો લાગશે. આ દેશમાં રાજા તરીકે, જાગીરદાર તરીકે, ધર્મગુરુઓ તરીકે કે ધનિક સદ્ગહસ્થો તરીકે થોડા ઘણા જે હિંદુ પ્રજાજનો સત્તામાં ટકી રહેવા પામ્યા છે, તેના ઉપર કદાચ ફટકો લાગે. એ બધું પાર પડ્યા પછી પ્રજાસંઘ ઇટાલી વગેરેને શાંત કરે અને પાછા યુરોપીય રાષ્ટ્રોને ભેગાં મેળવી.લે. પરંતુ એવી ધમાચકડીમાં કાળી પ્રજાનાં રાષ્ટ્રો ખોખરાં
૪૦