Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 58
________________ અનિવાર્ય સંજોગોમાં ઉપયોગ કરવો એ જુદી વાત છે અને હાર્દિક સારું માનવું એ જુદી વાત છે. ૧. આર્યસંસ્કૃતિ પ્રમાણે જીવવું એ આદર્શ હોય, છતાં કોઈ કોઈ વિદેશી વૈજ્ઞાનિક વસ્તુનો ઉપયોગ ન છૂટકે કે દેખાદેખીથી ક૨વો પડે, તે નુકસાન તો કરે જ છે, પરંતુ એટલું નુકસાન તેથી નથી થતું, કે જેટલું ૨. “આર્યસંસ્કૃતિમાં હવે કાંઈ રહ્યું નથી અથવા તેને તોડવા પ્રયત્ન કરવો” અને આધુનિક વિજ્ઞાન વિશે મનમાં પરમ આદર રાખવાથી પરિણામે જે નુકસાન થાય છે. આ નુકસાન વધી જાય તેમ હોય છે. મનથી જેઓ આધુનિક વિજ્ઞાનના ગુલામો છે, તેઓ ગમે તેવી ઊંચી છાતીએ ચાલતા હોય, પણ તેઓ પરદેશી પ્રજાઓના વિશેષ ગુલામો છે. અને જેઓ આર્યસંસ્કૃતિ પ્રમાણે જે પ્રમાણમાં સાંગોપાંગ જીવન જીવે છે અને પોતાના કોઈ સ્વાર્થ માટે પરદેશીઓની ખુશામત કરતા હોય, તેમને રાજી રાખવા પ્રયત્નો કરતા હોય, છતાં પણ તેઓ તો એટલા ગુલામ નથી, એ તો સહજ રીતે સમજાય તેમ છે. 66 સુધારકો નવું ઉત્પન્ન કરી શકે તેમ નથી. નવું ઉત્પન્ન કરી શક્યા નથી. તેઓ “રૂઢિચુસ્તો”, “જૂનવાણી”, “પ્રણાલીને વળગી રહેલા’” વગેરે રીતે દેશીને નિંદીને પરદેશી વસ્તુઓની જાહેરતો અને વકીલાત કરે છે. ૫૧

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94