Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 46
________________ એટલે વળી એ આગળ વધે. પરિણામે આપણી ગુલામી વધતી જ જાય. માટે વિજ્ઞાનની પ્રતિષ્ઠા કરનારા આ દેશની પ્રજાનો મોટામાં મોટો અપકાર કરે છે. એ બહુ જ સૂક્ષ્મતાથી સમજ્યા વિના સમજાય તેમ નથી. મી. ટેસીટેરીએ જે વાક્ય ઉચાર્યું છે તેમાં આપણા જૈન વિજ્ઞાનની પ્રશંસા કરી છે, એમ આપણાને ઉપર ઉપરથી દેખાય છે. પરંતુ વાસ્તવિક રીતે તેમણે પોતાની ગૌરાંગ પ્રજાની એ વાક્ય મારફત અભુત સેવા કરી છે. એ પણ સૂક્ષ્મતાથી સમજીશું. તો જ સમજાશે. એ ઉત્તરાર્ધમાં એમ કહેવા માંગે છે કે “જેમ જેમ આધુનિક વિજ્ઞાન શોધાતું જાય છે, તેમ તેમ જૈન શાસ્ત્રકથિત વૈજ્ઞાનિક તત્ત્વો સાબિત થતાં જાય છે. - સારાંશ કે-“તમારે જૈનોને પણ તમારાં શાસ્ત્રોની અંદરની વાતો સાબિત કરવી હોય, તો આધુનિક વિજ્ઞાનની શોધો આગળ વધારવામાં તમારે પણ ટેકો આપવો જોઈએ” એ ભાવ ઉત્પન્ન કરીને-“આખા જગતમાં દીર્ઘ દૃષ્ટિભરી બુદ્ધિયુક્ત જે જૈન વર્ગ છે, કે જેઓમાંનો મોટો ભાગ આધુનિક વિજ્ઞાન તરફ ઉદાસીન છે, તેમાંનો જેટલો ભાગ આવી દલીલોથી પણ તેના તરફ ખેંચાઈ આવે તો ઠીક એવો તેને ખેંચવાનો તેમાં પ્રયત્ન છે. એમ કહીને જૈનોમાં પણ આધુનિક વિજ્ઞાનની પ્રતિષ્ઠા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે. આ તેના વાક્યમાં ખૂબી ભરેલી છે. ભલે આધુનિક વિજ્ઞાન એ દેશોની પ્રજાઓને આગળ વધારતું હોય અને આપણને પાછળ પાડતું હોય, તો પણ એટલું ૩૯

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94