________________
બદલે તેમણે ગાડાનો ઉપયોગ કર્યો નથી. બહારનાં ચશ્માંને બદલે તેમણે ખંભાતના ચશ્માંનો ઉપયોગ કર્યો જ નથી ઇત્યાદિ. અને જો કદાચ દેશની ચીજોનો ઉપયોગ કર્યો હશે, તો તેઓ દેશમાં ચાલતાં દેશી કે પરદેશી માલિકીનાં યંત્રોથી ઉત્પન્ન થયેલા માલનો જ કર્યો હશે. આથી આ પ્રજાની અંદર સહેજસાજ કે યંત્રવાદ ઘૂસ્યો હતો, તે વધારે પગભર થયો. આજે ઇન્ડસ્ટ્રી માટે
ઔદ્યોગિક ખિલવણી માટે કાચા માલને પાકો બનાવવા આ દેશમાં પુષ્કળ હિલચાલ ચાલી રહેલી છે. આના પુરાવા માટે સરકારી ઔદ્યોગિક ખાતાઓ, કાઠિયાવાડ ઔદ્યોગિક પરિષદ વગેરેના હેવાલો વાંચો. અહીંના ઉદ્યોગો ગૂંગળાવવા કરેલા કાયદા હવે કાઢી નાંખવાના છે, પ્રજા તરફથી પરિષદો દ્વારા તેવી માંગણીઓ કરાવવામાં આવે છે. શુદ્ધ સ્વદેશી તો માત્ર નામનો શબ્દ જ રહ્યો છે.
પરદેશી બુદ્ધિશાળીઓને મન શુદ્ધ સ્વદેશીની ઘોષણા ઇષ્ટ હતી, તેમાં બે હેતુ સમાયેલા હતા. “શુદ્ધ સ્વદેશીની હિલચાલ દેશનાયકોએ પોતાની સમજથી અને બુદ્ધિથી ઉપાડેલી છે અને આપણી મૂળ પ્રાચીન કારીગીરીની ખીલવટ માટે છે” એવી પ્રજામાં ભ્રમણા ફેલાય અને પ્રજા એ હિલચાલ તરફ વિશ્વાસ કરતી થાય. દેશનાયકો દંડાતા જાય, લાઠી ખાતા જાય, જેલમાં જાય, તેમ તેમ એ હિલચાલમાં વેગ આવતો જાય, પ્રજા તેના તરફ મોટા પ્રમાણમાં વળતી જાય, તેમ તેમ સ્વદેશી માટે વકરા ક્ષેત્ર સારા પ્રમાણમાં તૈયાર થતું જાય. પરંતુ, ખ્યાલમાં જ હતું કે “ભલે હમણાં શુદ્ધ સ્વદેશીની ભાવના ફેલાય, તેમાંથી
૨૮