Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 37
________________ હિસાબે ૧. મારવાડ વગેરે પ્રદેશના ખેડૂતો હાથે કાંતીને ખાદી પહેરે છે, તે શુદ્ધ સ્વદેશી. ૨. વિલાયતી માલ શુદ્ધ પરદેશી. ૩. દેશની મિલનો માલ દોઢ શુદ્ધ પરદેશી. ૪. અને કૉંગ્રેસની ખાદી, તે ડબલ શુદ્ધ પરદેશી. આવો વિચિત્ર અર્થ થાય છે. આ ઘણો જ વિચિત્ર કોયડો છે. ન સમજાય તેવો, ન ધ્યાનમાં આવે તેવો, ન ગળે ઊતરે તેવો છે. પરંતુ બરાબર સમજાવવામાં આવે, તો સમજાય તેવો છે અને અર્થશાસ્ત્રના નિયમોથી સમજ્યા પછી માણસ અજબ'ના સ્થાને અચંબિત થઈ જાય તેવો છે. (આને સ્પષ્ટ સમજાવવા માટે એક સ્વતંત્ર નિબંધ લખવો જોઈએ.) આ શુદ્ધ સ્વદેશી ફેલાવનારા શરૂઆતમાં આપણા દેશના જ આગેવાનો નથી. પણ તેમની સાથે પરદેશીઓ છે. તેમના મિત્ર તરીકે તેમની સાથે રહ્યા છે, તેમની સાથે આ દેશના ગરીબોના ઉદ્ધારની વાતો લાગણીપૂર્વક કરી છે અને છેવટે તેમને “રેંટિયો” એ જ પ્રજાની સ્વતંત્રતાનું હથિયાર’ ઠસાવ્યું છે અને દેશનાયકના ધ્યાનમાં એ વાત ઊતર્યા પછી, ઠસ્યા પછી તેઓ સાહેબો બીજા કામમાં પડ્યા છે. પછી ગતિ મળી ગઈ. ભારતમાં યંત્રવાદનો વિશેષ પ્રવેશ કરાવવા માટે આ યોજના વિના તત્કાળ સ્થિતિજ્ઞ તેઓની સામે તે વખતે બીજો ઉપાય નહોતો. તે સમજીને જ એવી ભાઈબંધીઓ વધારવામાં આવી હતી, તે હવે જ ૩૦

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94